1. જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું [QBR] હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. [QBR]
2. ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે [QBR] અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસનો ભાગ મળશે. [QBR]
3. ચાંદીને ગાળવા માટે કુલડી હોય છે અને સોનાને માટે ભઠ્ઠી હોય છે. [QBR] પણ અંત:કરણને પારખનાર યહોવાહ છે. [QBR]
4. જે કોઈ વ્યક્તિ અનિષ્ટ વાત સાંભળે છે તે દુષ્ટ છે; [QBR] જે જૂઠો છે તે નુકસાનકારક જીભ તરફ ધ્યાન આપે છે. [QBR]
5. જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સર્જનહારની નિંદા કરે છે [QBR] અને જે કોઈ બીજાની વિપત્તિને જોઈને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. [QBR]
6. સંતાનોનાં સંતાનો વૃદ્ધ પુરુષનો મુગટ છે [QBR] અને સંતાનોનો મહિમા તેઓનાં માતાપિતા છે. [QBR]
7. ભાવપૂર્ણ ભાષણ મૂર્ખને ઘટતું નથી; [QBR] મહાપુરુષોને માટે જૂઠું બોલવું એ અઘટિત છે. [QBR]
8. જેને બક્ષિસ મળે છે તે તેની નજરમાં મૂલ્યવાન પથ્થર જેવી છે; [QBR] જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે. [QBR]
9. દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે, [QBR] પણ તેને જ વારંવાર બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે. [QBR]
10. મૂર્ખને સો ફટકાના કરતાં બુદ્ધિમાનને [QBR] એક ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. [QBR]
11. દુર્જન હંમેશા આફતો શોધ્યા કરે છે. [QBR] તે માટે તેની સામે ક્રૂર સંદેશાવાહક મોકલવામાં આવશે. [QBR]
12. જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો; [QBR] પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. [QBR]
13. જો કોઈ ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે, [QBR] તો તેના ઘરમાંથી બૂરાઈ દૂર થશે નહિ. [QBR]
14. કોઈ પાણીને બહાર આવવાનું બાકું કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે, [QBR] માટે ઝઘડો થયા અગાઉ સમાધાન કરી લો. [QBR]
15. જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે અને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે [QBR] તે બન્નેને યહોવાહ ધિક્કારે છે. [QBR]
16. જ્યારે મૂર્ખને બુદ્ધિ હોતી નથી [QBR] ત્યારે ડહાપણ ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? [QBR]
17. મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે [QBR] અને ભાઈ સંકટના સમયને માટે જ જન્મ્યો છે. [QBR]
18. અક્કલ વગરનો માણસ જ [QBR] પોતાના પડોશીનો જામીન થાય છે. [QBR]
19. કજિયો ચાહનાર પાપ કરે છે; [QBR] જે પોતાનો દરવાજો વિશાળ બનાવે છે, તે વિનાશ શોધે છે. [QBR]
20. કુટિલ હૃદયના માણસનું કદી હિત થતું નથી; [QBR] આડી જીભવાળો માણસ વિપત્તિમાં આવી પડે છે. [QBR]
21. મૂર્ખને પેદા કરનાર દુ:ખી થાય છે; [QBR] મૂર્ખના પિતાને કદી આનંદ થતો નથી. [QBR]
22. આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે, [QBR] પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે. [QBR]
23. દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને [QBR] ઇનસાફના માર્ગ ઊંધા વાળે છે. [QBR]
24. બુદ્ધિમાન વ્યક્તિની આંખ ડહાપણ પર જ હોય છે, [QBR] પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે. [QBR]
25. મૂર્ખ પુત્ર પિતાને માટે વ્યથારૂપ [QBR] અને પોતાની માતાને માટે કડવાશરૂપ છે. [QBR]
26. વળી નિર્દોષને દંડ કરવો તથા [QBR] પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી. [QBR]
27. થોડાબોલો માણસ શાણો છે, [QBR] ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. [QBR]
28. મૂર્ખ ચૂપ રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે, [QBR] જ્યાં સુધી તે બોલે નહિ, ત્યાં સુધી તે શાણો લેખાય છે. [PE]