1. જ્ઞાની દીકરો પોતાના પિતાની શિખામણ માને છે, [QBR] પણ અડિયલ દીકરો ઠપકાને ગણકારતો જ નથી. [QBR]
2. માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ભોગવે છે, [QBR] પણ કપટીનો જીવ જુલમ વેઠશે. [QBR]
3. પોતાનું મોં સંભાળીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે, [QBR] પરંતુ જીભને છૂટી મૂકનાર વિનાશ નોતરે છે. [QBR]
4. આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ કશું પામતો નથી, [QBR] પણ ઉદ્યમી વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ હોય છે. [QBR]
5. સદાચારી માણસ જૂઠને ધિક્કારે છે, [QBR] પણ દુષ્ટ માણસ અપમાન અને ફજેતીનો ભોગ બને છે. [QBR]
6. નેકી ભલા માણસોનું રક્ષણ કરે છે; [QBR] પણ દુષ્ટતા પાપીઓને ઉથલાવી નાખે છે, [QBR]
7. કેટલાક કશું ન હોવા છતાં ધનવાન હોવાનો દંભ કરે છે [QBR] અને કેટલાક એવા પણ છે કે જેઓ કંગાળ હોવા છતાં ધનવાન હોય છે. [QBR]
8. દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે, [QBR] પણ ગરીબ વ્યક્તિને ધમકી સાંભળવી પડતી નથી. [QBR]
9. નેકીવાનોનો પ્રકાશ આનંદ છે, [QBR] પણ દુષ્ટનો દીવો હોલવી નાંખવામાં આવશે. [QBR]
10. અભિમાનથી તો કેવળ ઝઘડો જ ઉત્પન્ન થાય છે; [QBR] પણ સારી સલાહ માનનારાઓ પાસે ડહાપણ છે. [QBR]
11. કુમાર્ગે મેળવેલી સંપત્તિ કદી ટકતી નથી. [QBR] પણ મહેનતથી સંગ્રહ કરેલી સંપત્તિની વૃદ્ધિ થાય છે. [QBR]
12. આશાનું ફળ મળવામાં વિલંબ થતાં અંતઃકરણ ઝૂરે છે, [QBR] પણ ઇચ્છાઓની પરિપૂર્ણતા જ જીવન છે. [QBR]
13. શિખામણને નકારનારનો નાશ થાય છે, [QBR] પણ આજ્ઞાઓનો આદર કરનારને બદલો મળે છે. [QBR]
14. જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે, [QBR] જે તે વ્યક્તિને મૃત્યુના ફાંદામાંથી ઉગારી લે છે. [QBR]
15. સારી સમજવાળાને કૃપા મળે છે, [QBR] પણ કપટીનો માર્ગ ખરબચડો છે. [QBR]
16. પ્રત્યેક ડાહ્યો માણસ ડહાપણથી નિર્ણય લે છે; [QBR] પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. [QBR]
17. દુષ્ટ સંદેશાવાહક મુશ્કેલીમાં સપડાઈ જાય છે, [QBR] પણ વિશ્વાસુ સંદેશવાહક સમાધાન લાવે છે. [QBR]
18. જે શિખામણનો ત્યાગ કરે છે તેને ગરીબી અને અપમાન પ્રાપ્ત થાય છે, [QBR] પણ ઠપકાનો સ્વીકાર કરે છે તેને માન મળે છે. [QBR]
19. ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે, [QBR] પણ દુષ્ટતાથી પાછા વળવું એ મૂર્ખોને આઘાતજનક લાગે છે. [QBR]
20. જો તું જ્ઞાની માણસોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે. [QBR] પણ જે મૂર્ખની સોબત કરે છે તેને નુકસાન થશે. [QBR]
21. પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે, [QBR] પણ જે સારા માણસો છે તેઓને હિતકારક બદલો મળશે. [QBR]
22. સારો માણસ પોતાનાં સંતાનોનાં સંતાનોને માટે વારસો મૂકી જાય છે, [QBR] પણ પાપીનું ધન નેકીવાનને સારુ ભરી મૂકવામાં આવે છે. [QBR]
23. ગરીબોના ખેતરમાં ઘણું અનાજ ઊપજે છે, [QBR] પણ અન્યાયના કારણથી નાશ પામનારા માણસો પણ છે. [QBR]
24. જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; [QBR] પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. [QBR]
25. નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે, [QBR] પણ દુષ્ટનું પેટ હંમેશાં ભૂખ્યુંને ભૂખ્યું જ રહે છે. [PE]