1. જે કોઈ માણસ શિખામણ ચાહે છે તે વિદ્યા પણ ચાહે છે, [QBR] પણ જે વ્યક્તિ ઠપકાને ધિક્કારે છે તે પશુ જેવો છે. [QBR]
2. સારો માણસ યહોવાહની કૃપા મેળવે છે, [QBR] પણ કુયુક્તિખોર માણસને તે દોષપાત્ર ઠેરવશે. [QBR]
3. માણસ દુષ્ટતાથી સ્થિર થશે નહિ, [QBR] પણ નેકીવાનની જડ કદી ઉખેડવામાં આવશે નહિ. [QBR]
4. સદગુણી સ્ત્રી તેના પતિને મુગટરૂપ છે, [QBR] પણ નિર્લજ્જ સ્ત્રી તેનાં હાડકાને સડારૂપ છે. [QBR]
5. નેકીવાનના વિચાર ભલા હોય છે, [QBR] પણ દુષ્ટોની સલાહ કપટભરી હોય છે. [QBR]
6. દુષ્ટની વાણી રક્તપાત કરવા વિષે હોય છે, [QBR] પણ પ્રામાણિક માણસનું મુખ તેને બચાવશે. [QBR]
7. દુષ્ટો ઉથલી પડે છે અને હતા નહતા થઈ જાય છે, [QBR] પણ સદાચારીનું ઘર કાયમ ટકી રહે છે. [QBR]
8. માણસ પોતાના ડહાપણ પ્રમાણે પ્રસંશા પામે છે, [QBR] પણ જેનું હૃદય દુષ્ટ છે તે તુચ્છ ગણાશે. [QBR]
9. જેને અન્નની અછત હોય અને પોતાને માનવંતો માનતો હોય તેના કરતાં [QBR] જે નિમ્ન ગણાતો હોય પણ તેને ચાકર હોય તો તે શ્રેષ્ઠ છે. [QBR]
10. ભલો માણસ પોતાના પશુના જીવની સંભાળ રાખે છે, [QBR] પણ દુષ્ટ માણસની દયા ક્રૂરતા સમાન હોય છે. [QBR]
11. પોતાની જમીન ખેડનારને પુષ્કળ અન્ન મળશે; [QBR] પણ નકામી વાતો પાછળ દોડનાર મૂર્ખ છે. [QBR]
12. દુષ્ટ માણસો ભૂંડાની લૂંટ લેવા ઇચ્છે છે, [QBR] પણ સદાચારીનાં મૂળ તો ફળદ્રુપ છે. [QBR]
13. દુષ્ટ માણસના હોઠોનાં ઉલ્લંઘનો તેઓને પોતાને માટે ફાંદો છે, [QBR] પણ સદાચારીઓ સંકટમાંથી છૂટા થશે. [QBR]
14. માણસ પોતે બોલેલા શબ્દોથી સંતોષ પામશે [QBR] અને તેને તેના કામનો બદલો પાછો મળશે. [QBR]
15. મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં સાચો છે, [QBR] પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ આપે છે. [QBR]
16. મૂર્ખ પોતાનો ગુસ્સો તરત પ્રગટ કરી દે છે, [QBR] પણ ડાહ્યો માણસ અપમાન ગળી જાય છે. [QBR]
17. સત્ય ઉચ્ચારનાર નેકી પ્રગટ કરે છે, [QBR] પણ જૂઠો સાક્ષી છેતરપિંડી કરે છે. [QBR]
18. અવિચારી વાણી તરવારની જેમ ઘા કરે છે [QBR] પણ જ્ઞાની માણસની જીભના શબ્દો આરોગ્યરૂપ છે. [QBR]
19. જે હોઠ સત્ય બોલે છે તેઓ શાશ્વત રહે છે [QBR] અને જૂઠા બોલી જીભ ક્ષણિક રહે છે. [QBR]
20. જેઓ ખરાબ યોજનાઓ કરે છે તેઓનાં મન કપટી છે, [QBR] પણ શાંતિની સલાહ આપનાર સુખ પામે છે. [QBR]
21. સદાચારીને કંઈ નુકશાન થશે નહિ, [QBR] પરંતુ દુષ્ટો મુશ્કેલીઓથી ભરેલા હોય છે. [QBR]
22. યહોવાહ જૂઠાને ધિક્કારે છે, [QBR] પણ સત્યથી વર્તનારાઓ તેમને આનંદરૂપ છે. [QBR]
23. ડાહ્યો પુરુષ ડહાપણને છુપાવે છે, [QBR] પણ મૂર્ખ પોતાની મૂર્ખાઈ જાહેર કરે છે. [QBR]
24. ઉદ્યમીનો હાથ અધિકાર ભોગવશે, [QBR] પરંતુ આળસુ માણસ પાસે મજૂરી કરાવવામાં આવશે. [QBR]
25. પોતાના મનની ચિંતાઓ માણસને ગમગીન બનાવે છે, [QBR] પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે. [QBR]
26. નેકીવાન માણસ પોતાના પડોશીને સાચો માર્ગ બતાવે છે, [QBR] પણ દુષ્ટોનો માર્ગ તેને ગેરમાર્ગે દોરે છે. [QBR]
27. આળસુ માણસ પોતે કરેલો શિકાર રાંધતો નથી, [QBR] પણ ઉદ્યમી માણસ થવું એ મહામૂલી સંપત્તિ મેળવવા જેવું છે. [QBR]
28. નેકીના માર્ગમાં જીવન છે. [QBR] અને એ માર્ગમાં મરણ છે જ નહિ. [PE]