1. સુલેમાનનાં નીતિવચનો. [QBR] જ્ઞાની દીકરો પોતાના પિતાને હર્ષ ઉપજાવે છે [QBR] પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે. [QBR]
2. દુષ્ટતાનો સંગ્રહ કંઈ ભલું કરતો નથી, [QBR] પરંતુ સદાચારી જીવન વ્યક્તિને મોતથી ઉગારે છે. [QBR]
3. યહોવાહ સદાચારી માણસને ભૂખથી મૃત્યુ પામવા દેશે નહિ [QBR] પણ તે દુષ્ટ માણસની ઇચ્છાઓને નિષ્ફળ કરે છે. [QBR]
4. નિરુદ્યમી હાથોથી કામ કરનાર દરિદ્રી થાય છે. [QBR] પણ ઉદ્યમીઓનો હાથ તેને ધનવાન બનાવે છે. [QBR]
5. ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે [QBR] પણ કાપણીના સમયે સૂઈ રહેનાર દીકરો બદનામી કરાવે છે. [QBR]
6. સદાચારીના માથા ઉપર આશીર્વાદ ઊતરે છે, [QBR] પણ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે. [QBR]
7. સદાચારીનું સ્મરણ આશીર્વાદરૂપ છે; [QBR] પરંતુ દુષ્ટોનું નામ તો શાપિત થાય છે. [QBR]
8. જ્ઞાની હૃદયવાળો આજ્ઞાઓનો સ્વીકાર કરશે, [QBR] પણ લવરી કરનારો મૂર્ખ પાયમાલ થશે. [QBR]
9. જે વ્યક્તિ પ્રામાણિકપણે જીવે છે તે સુરક્ષિત છે, [QBR] પરંતુ અવળે માર્ગે ચાલનાર ઓળખાઈ જશે. [QBR]
10. જે વ્યક્તિ આંખ મિચકારે છે તે મુશ્કેલીઓ વહોરે છે, [QBR] પણ બકબકાટ કરનાર મૂર્ખ નાશ પામશે. [QBR]
11. સદાચારીનું મુખ જીવનનો ઝરો છે, [QBR] પરંતુ દુષ્ટોનું મોઢું હિંસાથી ઢંકાયેલું છે. [QBR]
12. દ્વ્રેષથી ઝઘડા ઊભા થાય છે, [QBR] પણ પ્રેમ સર્વ અપરાધોને ઢાંકી દે છે. [QBR]
13. જ્ઞાની માણસના હોઠો પર ડહાપણ માલૂમ પડે છે, [QBR] જ્યારે મૂર્ખની પીઠને માટે લાકડી છે. [QBR]
14. જ્ઞાની પુરુષ ડહાપણનો સંગ્રહ કરે છે, [QBR] પરંતુ મૂર્ખનું મોં ઝડપી નાશ નોતરે છે. [QBR]
15. દ્રવ્યવાન માણસનું ઘન તેનું કિલ્લેબંધીવાળું નગર છે; [QBR] પરંતુ ગરીબી ગરીબોનો નાશ કરે છે. [QBR]
16. સદાચારી માણસની કમાણી જીવન સાધક છે; [QBR] પણ દુષ્ટ માણસની પેદાશ પાપકારક છે. [QBR]
17. જે શિખામણનો સ્વીકાર કરે છે, તે જીવનના માર્ગમાં છે, [QBR] પણ ઠપકાનો ત્યાગ કરનાર ભૂલ કરે છે. [QBR]
18. જે દ્વેષ છુપાવે છે તે જૂઠું બોલે છે [QBR] પણ ચાડી કરનાર મૂર્ખ છે. [QBR]
19. ઘણું બોલવામાં દોષની અછત નથી, [QBR] પણ જે પોતાની જીભ પર લગામ રાખે છે, તે ડાહ્યો છે. [QBR]
20. સદાચારીની જીભ ચોખ્ખી ચાંદી જેવી છે; [QBR] પરંતુ દુષ્ટના હૃદયનું મૂલ્ય બહું નીચું છે. [QBR]
21. નેકીવાનની વાણી ઘણાંને તૃપ્ત કરે છે, [QBR] પણ મૂર્ખાઓ બુદ્ધિના અભાવે મોતને ભેટે છે. [QBR]
22. યહોવાહનો આશીર્વાદ ધનવાન બનાવે છે [QBR] અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. [QBR]
23. દુષ્ટ યોજનાઓ મૂર્ખોને આનંદ આપે છે, [QBR] પરંતુ સમજણો માણસ ડહાપણથી આનંદ પ્રાપ્ત કરે છે. [QBR]
24. દુષ્ટનો ડર તેને પોતાને જ માથે આવી પડશે, [QBR] પણ નીતિમાન માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે. [QBR]
25. વાવાઝોડું જતું રહે છે તેમ દુષ્ટનું નામનિશાન રહેતું નથી, [QBR] પણ નીતિમાન માણસ સદાકાળ ટકનાર પાયારૂપ છે. [QBR]
26. જેમ દાંતને કડવું પીણું અને આંખોને ધુમાડો આફત રૂપ છે, [QBR] તેમ આળસુ પોતાને કામ પર મોકલનારને આફતરૂપ છે. [QBR]
27. યહોવાહનો ભય આયુષ્ય વધારે છે, [QBR] પણ દુષ્ટોનાં વર્ષો ઘટાડવામાં આવશે. [QBR]
28. સદાચારીની આશાનું પરિણામ આનંદ છે, [QBR] પણ દુષ્ટોની આશા નિષ્ફળ જશે. [QBR]
29. જેઓ પ્રામાણિકતાથી જીવે છે, તેઓના માટે યહોવાહનો માર્ગ કિલ્લારૂપ છે, [QBR] પણ તે દુષ્ટોને વિનાશરૂપ છે. [QBR]
30. સદાચારીઓને કદી ખસેડવામાં આવશે નહિ, [QBR] પરંતુ દુષ્ટો દેશમાં કાયમ રહેશે નહિ. [QBR]
31. સદાચારીઓનું મુખ ડહાપણ પ્રગટ કરે છે, [QBR] પરંતુ હઠીલી જીભનો નાશ કરવામાં આવશે. [QBR]
32. સંતોષકારક અને ઉચિત શું છે તે સદાચારીના હોઠ જાણે છે. [QBR] પણ દુષ્ટ પોતાને મુખે અવળું બોલે છે. [PE]