1. ઇઝરાયલનો રાજા, જે દાઉદનો પુત્ર હતો, તે સુલેમાનનાં નીતિવચનો. [QBR]
2. ડહાપણ તથા શિક્ષણ સંપાદન થાય, [QBR] ડહાપણની વાતો સમજવામાં આવે, [QBR]
3. ડહાપણભરેલી વર્તણૂકની, [QBR] નેકીની, ન્યાયીપણાની અને ઇનસાફની કેળવણી મળે. [QBR]
4. ભોળા માણસને ચતુરાઈ મળે [QBR] અને જુવાનોને ડહાપણ તથા વિવેકબુદ્ધિ મળે. [QBR]
5. જ્ઞાની પુરુષ સાંભળીને વિદ્ધત્તાની વૃદ્ધિ કરે [QBR] અને બુદ્ધિમાન માણસને માર્ગદર્શન મળે. [QBR]
6. કહેવતો તથા અલંકારો; [QBR] જ્ઞાનીઓનાં વચનો તથા તેઓના મર્મો સમજાય. [QBR]
7. યહોવાહનો ભય એ જ્ઞાનનો આરંભ છે. [QBR] મૂર્ખો જ્ઞાનને તથા શિક્ષણને ધિક્કારે છે. [QBR]
8. મારા દીકરા, તારા પિતાની શિખામણ સાંભળ [QBR] અને તારી માતાનું શિક્ષણ તજીશ નહિ. [QBR]
9. તેઓ તારા મસ્તકે શોભાયમાન મુગટરૂપ [QBR] અને તારા ગળાના હારરૂપ થશે. [QBR]
10. મારા દીકરા, જો પાપીઓ તને લલચાવે, [QBR] તો તું તેઓનું માનતો નહિ. [QBR]
11. જો તેઓ કહે કે, “અમારી સાથે ચાલ, [QBR] આપણે ખૂન કરવા માટે સંતાઈ રહીએ; [QBR] આપણે નિર્દોષને વિનાકારણ હુમલો કરવાને છુપાઈ રહીએ. [QBR]
12. શેઓલની જેમ આપણે તેઓને જીવતા અને જીવતા ગળી જઈએ, [QBR] જાણે કે તેઓ કબરમાં ગરક થઈ ગયા હોય. [QBR]
13. વિવિધ પ્રકારનો કિંમતી માલ આપણા હાથમાં આવશે; [QBR] આપણે લૂંટથી આપણાં ઘરો ભરીશું. [QBR]
14. તું અમારી સાથે જોડાઈ જા [QBR] આપણે બધા સિલકની સહિયારી થેલી રાખીશું.” [QBR]
15. મારા દીકરા, તેઓના માર્ગમાં તેઓની સાથે ન ચાલ; [QBR] તેઓના માર્ગેથી તારા પગ પાછા રાખ; [QBR]
16. તેઓના પગ દુષ્ટતા કરવા માટે દોડે છે [QBR] અને તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે. [QBR]
17. કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય [QBR] ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે. [QBR]
18. આ માણસો પોતાને જ મારી નાખવાને માટે સંતાઈ રહે છે, [QBR] તેઓ પોતાના જ જીવને માટે ગુપ્ત રીતે છુપાઈ રહે છે. [QBR]
19. ધનના પ્રત્યેક લોભીના માર્ગો આવા જ હોય છે. [QBR] આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે. [QBR]
20. ડહાપણ શેરીએ શેરીએ મોટેથી પોકારે છે, [QBR] તે જાહેર સ્થળોમાં પોતાની વાણી ઉચ્ચારે છે. [QBR]
21. તે ઘોંઘાટવાળા રસ્તા પર બૂમો પાડે છે [QBR] અને શહેરના દરવાજે ઊભું રહીને વચનો ઉચ્ચારે છે, [QBR]
22. “હે અજ્ઞાનીઓ, તમે ક્યાં સુધી ભોળપણને વળગી રહેશો? [QBR] ઓ ઠઠ્ઠા-મશ્કરી કરનારાઓ, તમે ક્યાં સુધી ઠઠ્ઠા-મશ્કરી કરવામાં આનંદ મેળવશો? [QBR] અને ઓ મૂર્ખાઓ, તમે ક્યાં સુધી ડહાપણને ધિક્કારશો? [QBR]
23. મારી ચેતવણી પર ધ્યાન આપો; [QBR] હું મારો આત્મા તમારા પર રેડીશ; [QBR] હું મારાં વચનો તમને જણાવીશ. [QBR]
24. મેં બોલાવ્યા અને તમે ઇનકાર કર્યો; [QBR] મેં મારો હાથ લાંબો કર્યો છે, પણ કોઈએ તેની દરકાર કરી નહિ. [QBR]
25. પણ તમે મારી સર્વ શિખામણને તુચ્છ ગણી [QBR] અને મારા ઠપકાને પણ ગણકારતા નથી. [QBR]
26. માટે તમારા પર મુશ્કેલીઓ આવશે ત્યારે હું હાસ્ય કરીશ, [QBR] જ્યારે તમારા પર ભય આવશે ત્યારે હું તમારી મશ્કરી કરીશ. [QBR]
27. એટલે જ્યારે તોફાનની જેમ તમારા પર ભય આવી પડશે [QBR] અને વંટોળિયાની જેમ તમારા પર વિપત્તિઓ ધસી આવશે; [QBR] જ્યારે સંકટ તથા વેદના તમારા પર આવશે, ત્યારે હું તમારી મશ્કરી કરીશ. [QBR]
28. ત્યારે તેઓ મને પોકાર કરશે પણ હું ઉત્તર આપીશ નહિ; [QBR] તેઓ ખંતથી મને શોધશે, પણ હું તેઓને મળીશ નહિ. [QBR]
29. કેમ કે તેઓએ વિદ્યાનો ધિક્કાર કર્યો છે [QBR] અને તેઓએ યહોવાહનો ભય રાખવાનું ઈચ્છ્યું નહિ. [QBR]
30. તેઓએ મારી સલાહ બિલકુલ માની નહિ [QBR] અને તેઓએ મારો બધો ઠપકો તુચ્છ ગણ્યો. [QBR]
31. તેઓ પોતાના માર્ગનું ફળ ભોગવશે [QBR] અને પોતાની કુયુક્તિઓની પૂરેપૂરી શિક્ષા ભોગવશે. [QBR]
32. અબુદ્ધો પાછા હઠી જાય તે બાબત તેઓનો સંહાર કરશે; [QBR] અને મૂર્ખોની બેદરકારી તેઓનો વિનાશ કરશે. [QBR]
33. પણ જે કોઈ મારું કહ્યું સાંભળશે તે સુરક્ષિત રહેશે [QBR] અને નુકસાન થવાના ભય વગર શાંતિમાં રહેશે.” [PE]