1. ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે, [QBR]
2. ''તું ક્યાં સુધી આવી વાતો કરીશ? [QBR] તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે? [QBR]
3. શું ઈશ્વર અન્યાય કરે છે? [QBR] સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે? [QBR]
4. જો તારા સંતાનોએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે, [QBR] તો ઈશ્વરે તેમને તેમના પાપનું ફળ આપ્યું છે. [QBR]
5. જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે, [QBR] અને સર્વશક્તિમાનની યાચના કરશે, [QBR]
6. અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત; [QBR] તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને, [QBR] તારાં ધાર્મિક ઘરને આબાદ કરત. [QBR]
7. જો કે તારી શરૂઆત નહિ જેવી હતી. [QBR] તોપણ આખરે તે તને બહુ સફળ કરત. [QBR]
8. કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો; [QBR] આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે. [QBR]
9. આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી. [QBR] પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે. [QBR]
10. શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે? [QBR] તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે? [QBR]
11. શું કાદવ વિના છોડ ઊગે? કે, [QBR] જળ વિના બરુ ઊગે? [QBR]
12. હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી. [QBR] એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે. [QBR]
13. ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે [QBR] અને અધર્મીની આશા એમ જ નાશ પામશે. [QBR]
14. તેની આશા ભંગ થઈ જશે. [QBR] તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો નાજુક છે. [QBR]
15. તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે. [QBR] તે તેને મજબૂતાઈથી પકડી રાખશે પણ તે ટકશે નહિ. [QBR]
16. સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે. [QBR] તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે. [QBR]
17. તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે; [QBR] તેઓ પર્વતો પર સારી જગ્યાઓ શોધે છે. [QBR]
18. જો તે નાશ પામે [QBR] તો તેની જગા તેનો નકાર કરશે કે, 'મેં તને જોયો જ નથી.' [QBR]
19. જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે; [QBR] અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે. [QBR]
20. ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ, [QBR] અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ. [QBR]
21. હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે. [QBR] અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે. [QBR]
22. તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે [QBR] અને દુર્જનોનો તંબુ નાશ પામશે.'' [PE]