1. ત્યારે સોફાર નાઅમાથીએ અયૂબને ઉત્તર આપ્યો અને કહ્યું કે, [QBR]
2. ''શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? [QBR] શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે? [QBR]
3. શું તારી ફુલાશથી બીજા માણસો ચૂપ થઈ જાય? [QBR] જ્યારે તું અમારા શિક્ષણની મશ્કરી કરીશ, ત્યારે શું તને કોઈ ઠપકો નહિ આપે? [QBR]
4. કેમ કે તું ઈશ્વરને કહે છે કે, 'મારો મત સાફ છે, [QBR] હું તમારી નજરમાં નિર્દોષ છું.' [QBR]
5. પણ જો, ઈશ્વર બોલે [QBR] અને તારી વિરુદ્ધ પોતાનું મુખ ખોલે; [QBR]
6. તો તે તને ડહાપણના રહસ્યો વિષે કહેશે! [QBR] તેમની પાસે બહુવિધ સમજણ છે. [QBR] તે માટે જાણ કે, તારા અન્યાયને લીધે તને યોગ્ય છે તે કરતાં ઓછી સજા આપે છે. [QBR]
7. શું શોધ કરવાથી તું ઈશ્વરને સમજી શકે? [QBR] શું તું યોગ્ય રીતે સર્વસશક્તિમાનને સમજી શકે છે? [QBR]
8. તે બાબત આકાશ જેટલી ઊંચી છે તેમાં તું શું કરી શકે? [QBR] તે શેઓલ કરતાં ઊંડું છે; તું શું જાણી શકે? [QBR]
9. તેનું માપ પૃથ્વી કરતાં લાંબું, [QBR] અને સમુદ્ર કરતાં પણ વિશાળ છે. [QBR]
10. જો તે કોઈને પણ પકડી અને કેદમાં પૂરે, [QBR] અને તેનો ન્યાય કરવા તેને આગળ બોલાવે તો તેમને કોણ અટકાવી શકે? [QBR]
11. કેમ કે ઈશ્વર જૂઠા લોકોને જાણે છે; [QBR] જ્યારે તે અન્યાય જુએ છે, ત્યારે શું તે તેની ખબર રાખતા નથી? [QBR]
12. પણ મૂર્ખ લોકો પાસે સમજણ નથી; [QBR] જંગલી ગધેડીના બચ્ચા જેવા માણસને તે સુધારે છે. [QBR]
13. પણ જો તું તારું મન સીધું રાખે [QBR] અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે; [QBR]
14. તારામાં જે પાપ હોય તે જો તું છેક દૂર કરે, [QBR] અને અનીતિને તારા ઘરમાં રહેવા ન દે. [QBR]
15. તો પછી તું નક્કી નિર્દોષ ઠરીને તારું મુખ ઊંચું કરશે. [QBR] હા, તું દૃઢ રહેશે અને બીશે નહિ. [QBR]
16. તું તારું દુ:ખ ભૂલી જશે; [QBR] અને વહી ગયેલા પાણીની જેમ તે તને સ્મરણમાં આવશે. [QBR]
17. તારી જિંદગી બપોર કરતાં પણ વધુ તેજસ્વી થશે. [QBR] જો અંધકાર હશે તોપણ, તે પ્રભાતના જેવી થશે. [QBR]
18. આશા ઉત્પન્ન થવાને લીધે તું નિર્ભય થશે; [QBR] તું ચોતરફ જોશે અને સહીસલામત આરામ લેશે. [QBR]
19. વળી તું નિરાંતે સૂઈ જશે અને તને કોઈ બીવડાવશે નહિ; [QBR] હા, ઘણા લોકો તારી પાસે અરજ કરશે. [QBR]
20. પણ દુષ્ટોની આંખો નિસ્તેજ થઈ જશે; [QBR] તેઓને નાસી જવાનો કોઈ રસ્તો નહિ રહે; [QBR] મૃત્યુ સિવાય તેમને બીજી કોઈ પણ આશા રહેશે નહિ.'' [PE]