3. અને તેઓની પાછળ કદરૂપી તથા સુકાઈ ગયેલી એવી બીજી સાત ગાય નદીમાંથી નીકળીને નદીને કાંઠે પેલી ગાયોની પાસે ઊભી રહી.
|
5. અને તે ઊંઘી ગયો, ને તેને બીજું સ્વપ્ન આવ્યું:અને જુઓ, એક સાંઠા પર દાણાએ ભરેલાં તથા સારાં એવા સાત કણસલાં આવ્યાં.
|
7. અને હલકાં કણસલાં પેલાં સાત પાકાં તથા ભરેલાં કણસલાંને ગળી ગયાં. અને ફારુન જાગી ઊઠયો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું.
|
8. અને સવારે એમ થયું કે તેનું મન ગભરાયું; અને તેણે મિસરના સર્વ શાસ્ત્રીઓને તથા ત્યાંના સર્વ જ્ઞાનીઓને તેડાવ્યા; અને ફારુને તેઓને પોતાનાં સ્વપ્નો કહી સંભળાવ્યાં; પણ તેઓમાંનો કોઈ પણ ફારુનને તેનાં સ્વપ્નનો અર્થ કહી શકયો નહિ.
|
10. ફારુનને પોતના દાસો પર ક્રોધ ચઢયો હતો, ને મને તથા મુખ્ય ભઠિયારાને જેલમાં એટલે પહેરેગીરોના ઉપરીના ઘરમાં, કેદ કર્યા હતા.
|
12. અને એક હિબ્રૂ જુવાન, જે પહેરેગીરોના ઉપરીનો દાસ હતો, તે ત્યાં અમારી સાથે હતો; તેને અમે કહ્યું, ને તેણે અમારાં સ્વપ્નનો અર્થ કરી બતાવ્યો. દરેકને પોતાના સ્વપ્ન પ્રમાણે તેણે અર્થ કરી બતાવ્યો.
|
13. અને એમ થયું કે તેણે અમને જે અર્થ કહ્યો તે પ્રમાણે જ થયું. આપે મને મારી પદવી પર પાછો ઠરાવ્યો, ને એને ફાંસી આપી.”
|
14. અને ફારુને માણસો મોકલીને યૂસફને તેડાવ્યો, ને તેઓ તેને જેલમાંથી ઉતાવળે કાઢી લાવ્યા; અને તેણે હજામત કરીને પોતાનાં કપડાં બદલ્યાં, ને ફારુનની હજૂરમાં આવ્યો.
|
15. અને ફારુને યૂસફને કહ્યું, “મને સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી. અને મેં તારા વિષે સાંભળ્યું છે કે તું સ્વપ્ન સાંભળીને તેનો અર્થ કરી શકે એવો છે.”
|
19. અને જુઓ, તેઓની પાછળ નબળી તથા બહુ કદરૂપી તથા સુકાઈ ગયેલી બીજી સાત ગાય નીકળી, તે એવી કે તેમના જેવી કદરૂપી ગાયો મેં આખા મિસર દેશમાં કદી જોઈ નહોતી.
|
21. અને તેઓ તેઓને ગળી ગઈ, તોપણ તેઓ તેઓને ગળી ગઈ હોય એવું જણાયું નહિ; પણ પહેલાંની જેમ તેઓ કદરૂપી રહી, અને હું જાગી ઊઠયો.
|
24. અને તે હલકાં કણસલાં પેલાં સાત સારાં કણસલાંને ગળી ગયાં. અને મેં જાદુગરોને એ કહ્યું; પણ તેનો અર્થ મને કોઈ બતાવી શક્યો નહિ.”
|
25. અને યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનું સ્વપ્ન એક જ છે. ઈશ્વર જે કરવાનઅ છે તે તેમણે ફારુનને જણાવ્યું છે.
|
27. અને તેઓની પાછળ જે સુકાઈ ગયેલી તથા કદરૂપી ગાય નીકળી તે સાત વર્ષ છે. અને દાણા વગરનાં તથા પૂર્વના વાયુથી ચીમળાયેલાં જે સાત કણસલાં તે દુકાળના સાત વર્ષ થશે.
|
30. અને ત્યાર પછી દુકાળના સાત વર્ષ આવશે. અને મિસર દેશમાં સર્વ પુષ્કળતા ભૂલી જવાશે; અને દુકાળ દેશનો નાશ કરશે.
|
32. અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તે એ માટે કે ઈશ્વરે એ વાત નક્કી ઠરાવી છે, ને ઈશ્વર તે થોડી જ વારમાં પૂરી કરશે.
|
35. અને જે સારાં વર્ષ આવશે, તેઓમાં તેઓ બધો ખોરાક એકઠો કરે, અને ફારુનના હાથ નીચે નગરેનગર બધું અનાજ ખોરાકને માટે એકઠું કરીને તેને રાખી મૂકે.
|
36. અને દુકાળનાં જે સાત વર્ષ મિસર દેશમાં આવશે તેમાં ખોરાક દેશને માટે સંગ્રહ થશે કે, દુકાળથી દેશનો નાશ ન થાય.”
|
39. અને ફારુને યૂસફને કહ્યું, “ઈશ્વરે આ સર્વ તને બતાવ્યું છે, તે માટે તારા જેવો બુદ્ધિમાન તથા ની બીજો કોઈ નથી.
|
40. તું મારા ઘરનો ઉપરી થા, ને મારા સર્વ લોક તારી આજ્ઞા પ્રમાણે ચાલશે; એકલા રાજ્યાસન પર હું તારા કરતાં મોટો હોઈશ.”
|
42. અને ફારુને પોતાના હાથની મુદ્રિકા કાઢીને યૂસફના હાથમાં પહેરાવી, ને તેને મલમલનાં વસ્ત્ર પહેરાવ્યાં, ને તેના ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.
|
43. અને બીજા દરજ્જાના રથમાં તેને બેસાડયો; અને ‘ઘૂંટણ ટેકવો’ એવી તેની આગળ તેઓએ છડી પોકારી:અને તેણે તેને આખા મિસર દેશનો ઉપરી ઠરાવ્યો.
|
44. અને ફારુને યૂસફને યૂસફને કહ્યું, “હું ફારુન છું, ને આખા મિસર દેશમાં તારા કહ્યા વિના કોઈ માણસ હાથ કે પગ ઉઠાવે નહિ.”
|
45. અને ફારુને યૂસફનું નામ સાફનાથપાનેઆ પાડયું. અને ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથ સાથે તેનાં લગ્ન કરાવ્યાં. અને યૂસફ મિસર દેશમાં ફરવા નીકળ્યો.
|
46. અને યૂસફ મિસરના રાજા ફારુનની આગળ ઊભો રહ્યો ત્યારે ત્રીસ વર્ષનો હતો. અને યૂસફ ફારુનની હજૂરમાંથી નીકળીને આખા મિસર દેશમાં ફર્યો.
|
48. અને મિસર દેશમાં જે સાત વર્ષ થયાં તેઓનું બધું અનાજ તેણે એકઠું કર્યું, ને તે અનાજ નગરોમાં ભરી રાખ્યું. અને દરેક નગરની આસપાસ જે ખેતરો હતાં તેઓનું અનાજ તેણે તે જ નગરમાં ભરી રાખ્યું.
|
49. અને યૂસફે સમુદ્રની રેતી જેટલું અતિ ઘણું અન્ન સંઘર્યું, તે એટલે સુધી કે તેણે હિસાબ રાખવાનું પણ મૂકી દીધું; કેમ કે તે બેસુમાર હતું.
|
50. અને દુકાળનાં વર્ષો આવ્યા અગાઉ યૂસફના બે દિકરા જન્મ્યા કે, જે તેને ઓનના યાજક પોટીફારાની દીકરી આસનાથને પેટે થયા.
|
51. અને યૂસફે જ્યેષ્ઠ દિકરાનું નામ મનાશ્શા પાડયું; કેમ કે તેણે કહ્યું, “ઈશ્વરે મારા સર્વ કષ્ટ તથા મારા પિતાના ઘરનું સર્વ મને વીસરાવી દીધું છે.”
|
52. અને બીજાનું નામ તેણે એફ્રાઇમ પાડયું. કેમ કે તેણે કહ્યું, “મારા દુ:ખના દેશમાં ઈશ્વરે મને સફળ કર્યો છે.”
|
54. અને યૂસફના કહ્યા પ્રમાણે દુકાળનાં સાત વર્ષ શરૂ થયાં; અને સર્વ દેશોમાં દુકાળ પડયો. પણ આખા મિસર દેશમઆં અન્ન હતું.
|
55. અને આખો મિસર દેશ ભૂખે મરવા લાગ્યો, ત્યારે લોકે ફારુનની આગળ ધાન્યને માટે કાલાવાલા કર્યા. અને ફારુને સર્વ મિસરીઓને કહ્યું, “યૂસફની પાસે જાઓ. અને તે તમને કહે તે કરો.”
|
56. અને આખા દેશ પર દુકાળ પડયો ત્યારે યૂસફે સર્વ કોઠારો ઉઘાડીને મિસરીઓને અનાજ વેચાતું આપ્યું. અને મિસર દેશમાં તે દુકાળ બહુ વિકટ હતો.
|
57. અને સર્વ દેશોના લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવતા હતા; કેમ કે આખી પૃથ્વી પર દુકાળ ભારે હતો.
|