1. અને બપોરને વખતે તે તંબુના બારણાંમાં બેઠો હતો ત્યારે યહોવાએ મામરેનાં એલોન ઝાડની પાસે તેને દર્શન આપ્યું.
|
2. અને તેણે આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, ત્રણ પુરુષ તેની પાસે ઊભા હતા. અને તેઓને જોઈને તે તેઓને મળવાને તંબુના બારણામાંથી દોડયો, ને પ્રણામ કરીને
|
3. કહ્યુ, “મારા સ્વામી, જો તમારી દષ્ટિમાં હું હવે કૃપા પામ્યો હોઉં, તો તમે તમારા દાસ પાસેથી જતા ન રહેશો;
|
5. અને હું થોડી રોટલી લાવું, ને તમે તમારાં મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, “જેમ તેં કહ્યું છે તેમ કર.”
|
6. અને ઇબ્રાહિમે સારાની પાસે તંબુમાં ઉતાવળે જઈને કહ્યું, “ત્રણ માપ મેંદો ઉતાવળે મસળ, ને રોટલી તૈયાર કર.”
|
7. અને ઢોર હતાં ત્યાં ઇબ્રાહિમ દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું; અને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો.
|
8. અને તેણે માખણ તથા દૂધ તથા જે વાછરડું તૈયાર કર્યું હતું તે લઈને તેઓની આગળ પીરસ્યાં; અને પોતે તેઓની પાસે ઝાડ નીચે ઊભો રહ્યો, ને તેઓએ ખાંધું.
|
10. અને યહોવાએ કહ્યું, “હું ખચીત સમય આવ્યે તારી પાસે પાછો આવીશ. અને, જો, તારી પત્ની સારાને દીકરો થશે.” અને તેની પાછળ તંબુનું બારણું હતું ત્યાંથી સારાએ તે સાંભળ્યું.
|
11. હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.
|
12. અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”
|
13. અને યહોવાએ ઇબ્રાહિમને કહ્યું, “સારા એ વાત કહેતાં કેમ હસી કે, શું હું મારા ઘડપણમાં ખચીત દિકરાને જન્મ આપીશ?
|
14. યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”
|
15. ત્યારે સારાએ નકાર કરીને કહ્યું, “હું તો હસી નથી;” કેમ કે તે બીધી. પણ તે બોલ્યા, “હા; તું ખચીત હસી.”
|
18. કેમ કે ઇબ્રાહિમથી ખચીત મોટી તથા સમર્થ દેશજાતિ ઉત્પન્ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.
|
19. કેમ કે હું તેને જાણું છું કે તે પોતાના દિકરાઓને તથા પોતા પછી થનાર પોતાના પરિવારને એવી આજ્ઞા આપશે કે, તેઓ ન્યાય તથા ન્યાયકરણ કરવાને યહોવાનો માર્ગ પાળે; એ માટે કે ઇબ્રાહિમ સંબંધી યહોવાએ જે કહ્યું છે, તે તે તેને આપે.”
|
21. માટે હું હવે ઊતરીશ ને જોઈશ કે જે બૂમ મને પહોંચી છે તે પ્રમાણે તેઓનં બધાં કામ થયાં છે કે નહિ; અને એમ નહિ હોય, તો માલૂમ પડશે.”
|
24. કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?
|
25. એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”
|
28. કદાચ પચાસ ન્યાયીમાં પાંચ ઓછા હોય; તો શું પાંચની ખોટને લીધે તમે તે નગરનો નાશ કરશો?” અને પ્રભુ બોલ્યા, “જો મને પિસ્તાળીસ મળે, તોયે હું તેનો નાશ નહિ કરીશ.”
|
29. અને ઇબ્રાહિમે ફરી પ્રભુને કહ્યું, “કદાચિત ત્યાં ચાળીસ મળે તો?” ત્યારે યહોવાએ કહ્યું, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરીશ.”
|
30. અને ઇબ્રાહિમે કહ્યું, “યહોવાને રોષ ન ચઢે, તો હું ફરી બોલું:કદાચિત ત્યાં ત્રીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “જો ત્યાં ત્રીસ મળે, તોયે હું એમ નહિ કરીશ.”
|
31. અને ઇબ્રાહિમે કહ્યું, “હવે જો, મેં પ્રભુની આગળ બોલવાની હિંમત ધરી છે; કદાચિત ત્યાં વીસ મળે તો?” પ્રભુએ કહ્યું, “વીસને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”
|
32. અને ઇબ્રાહિમે કહ્યું, “પ્રભુને રોષ ન ચઢે, તો હું ફરીથી એક જ વાર બોલું, “કદાચિત ત્યાં દશ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”
|