1. હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.
|
2. જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.
|
4. મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કંઈ જ નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.
|
6. તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.
|
7. પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
|
8. પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.
|
10. કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ અંત:કરણવાળો માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ, તો શું તેનું અંત:કરણ મૂર્તિઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે?
|
12. અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંત:કરણોમાં આઘાત કરીને, તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
|
13. તેથી જો ખાવા ની વસ્તુ થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.
|