1. ઇઝરાયલ પ્રજા પોતાનાં સૈન્યો સહિત મૂસા તથા હારુનની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મુસાફરીઓ આ છે.
|
2. અને મૂસાએ યહોવાની આજ્ઞાથી તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચની નોંધ રાખી; અને તેઓની મુસાફરીઓ પ્રમાણે તેઓની કૂચ આ છે:
|
3. અને તેઓ પહેલે માસે, પહેલા માસને પંદરમે દિવસે રામસેસથી નીકળ્યા. પાસ્ખાપર્વ પછીની સવારે ઇઝરાયલી લોકો સર્વ મિસરીઓના જોતાં નીડરપણે નીકળ્યા.
|
4. જે સર્વ પ્રથમજનિતોને યહોવાએ માર્યા હતા તેઓને મિસરીઓ દાટતા હતા તે સમયે તેઓ નીકળ્યા. તેઓના દેવો પર પણ યહોવાએ ન્યાયકૃત્યો કર્યાં.
|
7. અને તેઓ એથામથી નીકળ્યા, ને પાછા ફરીને પી-હાહીરોથ આવ્યા કે, જે બાલ-સફોનની સામે છે. અને તેઓએ મિગ્દોલની સામે છાવણી કરી.
|
8. અને તેઓ હાહીરોથ આગળથી ચાલ્યા, ને સમુદ્રની મધ્યે થઈને અરણ્યમાં ગયા; અને એથામના અરણ્યમાં ત્રણ દિવસની મુસાફરી કરીને તેઓએ મારાહમાં છાવણી કરી.
|
9. અને તેઓ મારાહથી નીકળીને એલીમ આવ્યા; અને એલીમમાં પાણીના બાર ઝરા ને સિત્તેર ખજૂરીઓ હતાં; અને ત્યાં તેઓએ છાવણી કરી.
|
38. અને યહોવાની આજ્ઞા પ્રમાણે હારુન યાજક હોર પર્વત પર ચઢ્યો, ને ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી ચાળીસમાં વર્ષના પાંચમા માસને પહેલે દિવસે તે ત્યાં મરણ પામ્યો.
|
52. ત્યારે તમે પોતાની આગળથી દેશના સર્વ રહેવાસીઓને હાંકી કાઢો, ને તેઓના કોતરેલા સર્વ પથ્થરોનો ને તેઓની સર્વ ગાળેલી ધાતુની મૂર્તિઓનો નાશ કરો, ને તેઓનાં સર્વ દેવસ્થાનોને તોડી પાડો.
|
54. અને તમે ચિઠ્ઠીઓ નાખીને તમારાં કુટુંબો પ્રમાણે દેશનો વારસો વહેંચી લેજો. જે કુળમાં વિશેસ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ માણસો તેને તે પ્રમાણમાં તમારે વિશેષ વારસો આપવો, ને જેમાં થોડાં માણસો તેને તારે થોડો વારસો આપવો. ચિઠ્ઠીઓ નાખીને જ્યાં જેનો ભાગ આવે, ત્યાં જ તેને મળે. તમારા પિતૃઓનાં કુળો પ્રમાણે તમને વારસો મળે.
|
55. પણ જો તમે પોતાની સામેથી દેશના રહેવાસીઓને હાંકી કાઢો, તો તેઓમાંના જેઓને તમે રહેવા દેશો તેઓ તમારી આંખોમાં કણીઓરૂપ ને તમારી કૂખોમાં કાંટારૂપ થઈ પડશે, ને જે દેશમાં તમે વસશો ત્યાં તેઓ તમને હેરાન કરશે.
|