1. અને મૂસા એક કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારુન તેની વિરુદ્ધ બોલ્યા; કેમ કે તે કૂશી સ્ત્રીની સાથે પરણ્યો હતો.
|
2. અને તેઓએ કહ્યું, “શું યહોવા માત્ર મૂસાની મારફતે જ બોલ્યા છે? અમારી મારફતે પણ તે બોલ્યા નથી શું?” અને યહોવાએ તે સાંભળ્યું.
|
4. અને યહોવાએ મૂસાને તથા હારુનને તથા મરિયમને એકાએક કહ્યું, “તમે ત્રણે મુલાકાતમંડપની પાસે નીકળી આવો.”
|
5. અને મેઘસ્તંભમાં યહોવા ઊતર્યા, ને મંડપના દ્વારમાં ઊભા રહ્યા, ને હારુનને તથા મરિયમને બોલાવ્યાં. અને તેઓ બન્ને આગળ આવ્યાં.
|
6. અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.
|
8. હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”
|
10. અને મંડપ ઉપરથી તે મેઘ હઠી ગયો. અને જુઓ, મરિયમ કોઢથી બરફ જેવી શ્વેત થઈ ગઈ હતી. અને હારુને મરિયમ તરફ જોયું, તો જુઓ તે તો કોઢી હતી.
|
11. અને હારુને મૂસાને કહ્યું, “ઓ મારા ધણી, અમારા પર દોષ ન મૂક, કેમ કે અમે મૂર્ખાઈ કરી છે ને અમે મૂર્ખાઈ કરી છે ને અમે પાપ કર્યું છે.
|
12. પોતાની માના પેટમાંથી નીકળતી વખતે જેનું શરીર અડધું ગળી ગયું હોય, તેવા મૃત્યુ પામેલા જેવી તે ન થાય.”
|
14. અને યહોવાએ મૂસાને કહ્યું, “જો તને પિતા તેના મુખ પર ફક્ત થૂંક્યો હોત, તો શું સાત દિવસ સુધી તે ન લાજત? સાત દિવસ તે છાવણીની બહાર રખાય, ને પછી તે પાછી આવે.”
|
15. અને મરિયમે સાત દિવસ સુધી છાવણીની બહાર રાખવામાં આવી. અને મરિયમને પાછી અંદર લાવવામાં આવી ત્યાં સુધી લોકો આગળ ચાલ્યા નહિ.
|