2. પોતાના ચાકરોને કહ્યું, “આ તો યોહાન બાપ્તિસ્ત છે. તે મૂએલાંમાંથી ઊઠયો છે, માટે જ એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.”
|
3. કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો, ને તેને બાંધીને કેદખાનામાં નાખ્યો હતો.
|
9. અને રાજા દુ:ખી થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે ખાવા બેઠેલાઓને લીધે તેણે તે આપવાનો હુકમ કર્યો.
|
13. એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ જગાએ એકાંતમાં ચાલ્યા ગયા. અને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા.
|
14. અને તેમણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેમને દયા આવી અને તેમણે તેઓમાંનાં માંદાઓને સાજાં કર્યાં.
|
15. અને સાંજ પડી ત્યારે તેમના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “આ સ્થળ ઉજ્જડ છે, ને હવે વખત થઈ ગયો છે. માટે લોકોને વિદાય કરો કે જેથી તેઓ ગામોમાં જઈને પોતાને માટે ખાવાનું વેચાતું લે.”
|
19. પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી, ને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ તેમણે આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો, ને રોટલી ભાંગીને શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી.
|
22. અને તરત તેમણે શિષ્યોને આગ્રહ કરીને હોડીમાં બેસાડ્યા, ને તેઓને પોતાની આગળ સામે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે.
|
23. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયા, અને સાંજ પડી ત્યારે તે હજી એકલા હતા.
|
26. અને તેઓએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈ જઈને કહ્યું, “એ તો કોઈ દુષ્ટાત્મા છે, ” અને બીકથી તેઓએ બૂમ પાડી.
|
28. ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.”
|
31. અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?”
|
35. અને જ્યારે તે જગાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ માણસો મોકલીને બધાં માંદાંઓને તેમની પાસે આણ્યાં.
|
36. અને તેઓએ તેમને વિનંતી કરી કે, માત્ર તમારાં વસ્ત્રની કોરને જ તમે અમને અડકવા દો, અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.
|