3. તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબ્બાથ પાળો. હું યહોવા તમારો ઈશ્વર છું.
|
5. અને જ્યારે તમે યહોવાની સમક્ષ શાંત્યર્પણોનો યજ્ઞ ચઢાવો, ત્યારે એવી રીતે તે ચઢાવવો કે તમે તેમની આગળ માન્ય થાઓ.
|
6. જે દિવસે તમે તે ચઢાવો તે જ દિવસે, તથા તેને બીજે દિવસે તે ખાવું; અને જો ત્રીજા દિવસ સુધી કંઇ બાકી રહે, તો તેને આગમાં બાળી નાખવું.
|
8. પણ જે કોઈ તેને ખાય, તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્તુ વટાળી છે; અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.
|
9. અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે.
|
10. અને તારી દ્રાક્ષાવાડી તું વીણી ન લે, તેમ જ તારી દ્રાક્ષાવાડીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે તથા વટેમાર્ગુને માટે તે રહેવા દે; હું યહોવા તમારો ઈશ્વર છું.
|
13. તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી પાસે રહેવા દે.
|
15. ઇનસાફ કરવામાં અન્યાય ન કરો; ગરીબને જોઈ તેનો પક્ષ ન કર, ને બળિયાનું મોં ન રાખ; પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર.
|
16. ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.
|
18. તું વૈર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ, જેમ પોતા પર તેમ જ તારા પડોશી પર પ્રેમ રાખ; હું યહોવા છું.
|
19. તમે મારા વિધિઓ પાળો, તારાં ઢોરને બીજી જાતનાં જાનવર સાથે સંયોગ કરવા ન દે; તારા ખેતરમાં બે જાતનાં બી ન વાવ; તેમ જ બે જાતની વસ્તુઓના મિશ્રણનો પોષાક તારા અંગ પર ન આવે.
|
20. અને કોઈ સ્ત્રી દાસી હોય, ને તેને કોઈ પુરુષની સાથે તેનું વેવિશાળ થયેલું હોય, તેમ જ તેને છૂટકો મળ્યો પણ ન હોય, તેવીની સાથે કોઈ વ્યભિચાર કરે, તો તેઓને શિક્ષા કરવી; તેમને મારી ન નાખવા કેમ કે સ્ત્રી સ્વતંત્ર ન હતી.
|
21. અને તે પુરુષ યહોવાની સમક્ષ પોતાનું દોષાર્થાર્પણ, એટલે દોષાર્થાર્પણનો ઘેટો, મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે.
|
22. અને તેણે જે પાપ કર્યું તેને લીધે યાજક તેને માટે તે દોષાર્થાર્પણના ઘેટા વડે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરે; એટલે તેણે કરેલું પાપ તેને માફ થશે.
|
23. અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારનાં જે ઝાડ તમે રોપ્યાં હશે, તેઓનાં ફળ તમારે અનુચિત ગણવાં; ત્રણ વર્ષ સુધી તમારે તેમને અનૂચિત ગણવાં, તેમને ખાવાં નહિ.
|
25. અને પાંચમે વર્ષે તમારે તેનું ફળ ખાવું, એ માટે કે તે તમને વધારે ફળ આપે; હું યહોવા તમારો ઈશ્વર છું.
|
29. તું પોતાની દીકરીને વેશ્યા બનાવીને ભ્રષ્ટ ન કર; રખેને દેશ લંપટ બની જાય, ને દેશ દુષ્ટતાતી ભરપૂર થાય.
|
31. તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો; તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ; હું યહોવા તમારો ઈશ્વર છું.
|
32. તું પળિયાંવાળા માથાની સમક્ષ ઊભો થા, ને વૃદ્ધ માણસના મોંને માન આપ, ને તારા ઈશ્વરનો ડર રાખ; હું યહોવા છું.
|
34. તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો ગણવો, ને તારે પોતાના જેવો જ પ્રેમ તેના પર કરવો; કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા; હું યહોવા તમારો ઈશ્વર છું.
|
36. તમારી પાસે અદલ ત્રાજવાં, અદલ કાટલાં, અદલ એફાહ, તથા અદલ હિન હોય, તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવા તમારો ઈશ્વર છું.
|