1. ત્યારે એલાઝાર યાજક પાસે તથા નૂનના પુત્ર યહોશુઆ પાસે ને ઇઝરાયલ પ્રજાનાં કુળોના વંશના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યાં;
|
2. અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત એ પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”
|
4. અને કહાથીઓનાં કુટુંબોને માટે ભાગ નીકળ્યો; અને લેવીઓમાંના હારુન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને શિમયોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યાં.
|
5. અને કહાથના બાકીના પુત્રોને ભાગે એફ્રાઈમના કુળનાં કુટુંબોમાંથી ને દાનના કુળમાંથી ને મનાશ્શાના અર્ધકુળમાંથી દશ નગરો આવ્યાં.
|
6. અને ગેર્શોનપુત્રોને ભાગે ઇસ્સાખાર કુળનાં કુટુંબોમાંથી ને આશેરના કુળમાંથી ને નફતાલીના કુળમાંથી ને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આવ્યાં.
|
7. મરારીના પુત્રોને ભાગે, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી બાર નગરો આવ્યાં.
|
8. અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલી લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો ને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.
|
9. અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી આ નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં;
|
10. અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો.
|
11. અને તેઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા, એટલે અનાકના પિતા નું નગર (એટલે હેબ્રોન), તથા તેની ચારેતરફનાં ગૌચર આપ્યાં.
|
13. અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;
|
16. અને આયિન ને તેનાં ગૌચર, તથા યૂટ્ટા ને તેનાં ગૌચર, બેથ-શેમેશ ને તેનાં ગૌચર; એ પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં.
|
21. અને તેઓએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ ને તેનાં ગૌચર, તથા ગેઝેર ને તેનાં ગૌચર:
|
27. અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
|
32. અને નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેનાં ગૌચર, તથા હામ્મોથ-દોર ને તેનાં ગૌચર, તથા કાર્તાન ને તેનાં ગૌચર; એ ત્રણ નગરો આપ્યાં.
|
34. અને બાકી રહેલા લેવીઓને, એટલે મરારીના પુત્રોનાં કુટુંબોને, ઝબુલોનના કુળમાંથી યોકનામ ને તેનાં ગૌચર, તથા કાર્તા ને તેનાં ગૌચર,
|
38. અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનુમ આશ્રયનગર એટલે ગિલ્યાદમાંનું રામોથ ને તેનાં ગૌચર, તથા માહનાઈમ ને તેનાં ગૌચર:
|
40. આ બધાં નગરો, મરારીપુત્રોનાં કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓનાં બાકી રહેલાં કુટુંબો પ્રમાણે, તેઓનાં હતાં; અને તેઓને ભાગે બાર નગર આવ્યાં.
|
43. એ રીતે યહોવાએ ઇઝરાયલને તે આખો દેશ આપ્યો કે, જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી; અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા.
|
44. અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી. અને તેઓના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેઓની આગળ ટકી શક્યા નહિ. યહોવાએ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
|
45. યહોવાએ ઇઝરાયલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત થયાં.
|