2. ત્યારે રામના કુટુંબના બારાકેલ બુઝીના દીકરા અલીહૂને અયૂબ પર ક્રોધ ચઢયો, કેમ કે તેણે ઈશ્વર કરતાં પોતાને ન્યાયી ઠરાવ્યો.
|
3. વળી તેના ત્રણ મિત્રો વિરુદ્ધ પણ તેને ક્રોધ ચઢયો, કેમ કે તેઓ તેની વાતોનો ઉત્તર આપી શક્યા નહોતા, તોપણ તેઓએ અયૂબને દોષપાત્ર ઠરાવ્યો હતો.
|
6. બારાકેલ બુઝીના પુત્ર અલિહૂએ ઉત્તર આપતાં કહ્યું, “હું નાનો છું, અને તમે ઘણા વૃદ્ધ છો, માટે હું દબાઈ રહ્યો, અને મારો મત તમને જણાવવાને મારી હિમ્મત ચાલી નહિ.
|
11. શું બોલવું એ તમે શોધતા હતા, ત્યાં સુધી મેં તમારા શબ્દોની રાહ જોઈ, અને તમારી દલીલો સાંભળવાને હું લક્ષ આપી રહ્યો.
|
12. હા, મેં તમારા ઉપર ધ્યાન આપ્યું, પણ તમારામાંના કોઈએ અયૂબને ખાતરી કરી આપી નથી, અને તેના શબ્દોનો ઉત્તર પણ આપ્યો નથી.
|
19. જેનો નીકળવાનો રસ્તો બંધ કરી દીધેલો હોય એવા દ્રાક્ષારસ જેવું મારું મન છે; નવી મશકની જેમ તે ફાટી જવાની અણી પર છે.
|
21. હું કોઈ માણસનો પક્ષ કરું, એવી આશા કૃપા કરીને રાખશો નહિ; અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહિ.
|