5. તેઓ અરણ્યનાં જંગલી ગધેડાંની જેમ પોતાને કામે જાય છે, અને ખંતથી ખોરાક શોધે છે. અરણ્ય તેમને તેમનાં છોકરાંને માટે ખોરાક આપે છે.
|
12. ઘણી વસતિવાળા નગરમાંથી માણસો હાયપીટ કરે છે અને ઘાયલોના આત્મા બૂમ પાડે છે; તોપણ ઈશ્વર તે અન્યાયને લેખવતા નથી.
|
15. વ્યભિચારીની આંખ પણ ઝળઝળિયાંની વાટ જુએ છે, અને એવું કહે છે કે કોઈ મને દેખશે નહિ; અને તે પોતાના મોં પર બુકાની બાંધે છે.
|
16. અંધારામાં તેઓ ઘરોમાં ખાતર પાડે છે; અને દિવસે બારણાં બંધ કરીને ઘરમાં ભરાઈ રહે છે. અને અજવાળું જોવા માગતા નથી.
|
18. “ તમે કહો છો કે, તે રેલના પ્રવાહથી તણાઈ જાય છે; પૃથ્વી ઉપર તેઓનું વતન શાપિત થયેલું છે; તે દ્રાક્ષાવાડીઓમાં ફરી જવા પામતો નથી.
|
20. જનેતા તેને ભૂલી જશે; કીડો મઝાથી તેનું ભક્ષણ કરી જશે; પાછળથી તેને કોઈ સંભારશે નહિ; અને અનીતિને સળેલા ઝાડની જેમ ભાંગી નાખવામાં આવશે.
|
22. તે પોતાના પરાક્રમ વડે સમર્થોને પણ નમાવે છે; તેઓને જિંદગીનો ભરોસો હોતો નથી, ત્યારે પણ તેઓ પાછા ઊઠે છે.
|
23. ઈશ્વર તેમને નિર્ભય સ્થિતિ આપે છે, અને તે પર તેઓ આધાર રાખે છે; અને તેમની દષ્ટિ તેઓના માર્ગો પર છે.
|
24. તેઓ ઉચ્ચ પદવીએ ચઢે છે; પણ થોડી મુદતમાં તેઓ નષ્ટ થઈ જાય છે. હા, તેઓને અધમ સ્થિતિમાં લાવવામાં આવે છે, બીજા બધાની માફક તેઓ મરે છે, અને ધાન્યનાં કણસલાંની જેમ તેઓ કપાઈ જાય છે.
|