1. તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્ર લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડયો હતો, પણ હવે સાજો થયો છે.
|
2. હિઝકિયા તેને લીધે ખુશ થયો, ને તેણે પોતાનો ભંડાર, એટલે સોનું રૂપું, સુગંધીદ્રવ્ય, મૂલ્યવાન તેલ, તમામ શાસ્ત્રગૃહ, તથા પોતાના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેમને બતાવ્યું. તેના મહેલમાં કે તેના આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે તેણે તેમને બતાવ્યું નહિ હોય.
|
3. ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછયું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ તમારી પાસે ક્યાંથી આવ્યા?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”
|
4. ફરી યશાયાએ પૂછયું, “તેઓએ તમારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે; મારા ભંડારોમાં એવી એકે વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ન હોય.”
|
6. એવા દિવસો આવે છે કે જ્યારે તમારા મહેલમાં જે સર્વ છે તે, તથા તમારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાએ કહ્યું છે.
|
7. તમારા દીકરાઓ કે જે તમારાથી ઉત્પન્ન થશે, જેઓને તમે જન્મ આપશો, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં ખોજા થશે.”
|
8. ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાની જે વાત તમે બોલ્યા છો, તે સારી છે.” વળી હિઝકિયાએ કહ્યું, “મારા દિવસોમાં તો શાંતિ તથા સલામતી થશે.”
|