2. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા, અને વળી જેમના વડે તેમણે સૃષ્ટિનું સર્જન કર્યું, તે દ્વારા આપણી સાથે બોલ્યા.
|
3. તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન પિતા ની જમણી તરફ ઉચ્ચસ્થાને બેઠા છે.
|
4. તેમને દૂતો કરતાં જેટલે દરજ્જે તે વધારે ચઢિયાતું નામ વારસામાં મળ્યું છે, તેટલે દરજ્જે તે તેઓ કરતાં ઉત્તમ થયા છે.
|
5. કેમ કે ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “તું મારો પુત્ર છે, આજે મેં તને જન્મ આપ્યો છે?” અને વળી, “હું તેનો પિતા થઈશ, અને તે મારો પુત્ર થશે?”
|
7. વળી દૂતો સંબંધી તે એમ કહે છે, “તે પોતાના દૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ કરે છે.”
|
9. તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે, અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.”
|
12. તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો, અને વસ્ત્રની જેમ તેઓને બદલવામાં આવશે. પણ તમે એવા ને એવા જ છો. ને તમારાં વર્ષોનો અંત કદી આવશે નહિ.”
|
13. પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?”
|
14. શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?
|