6. પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા.
|
8. ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો.
|
9. અને તેના દિકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની સામે સોહાર હિત્તીના દિકરા એફ્રોનના ખેતરમાં, તેને દાટયો.
|
10. હેથના દિકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું, તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયાં.
|
11. અને એમ થયું કે ઇબ્રાહિમના મરણ પછી તેના દિકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો; અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
|
12. હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ જે સારાની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો, તેની વંશાવાળી આ છે:
|
13. અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ,
|
16. ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા.
|
17. અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો.
|
18. અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.
|
20. અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો.
|
21. અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ.
|
22. અને છોકરાઓએ તેના પેટમાં બાઝાબાઝ કરી; અને તેણે કહ્યું, “જો એમ છે તો હું કેમ જીવતી છું?” અને તે યહોવાને પૂછવા ગઈ.
|
23. અને યહોવાએ તેને કહ્યું, “તારા પેટમાં બે કુળ છે, ને તારા પેટમાંથી જ બે પ્રજાઓ ભિન્ન થશે; અને એક પ્રજા બીજી પ્રજા કરતાં બળવાન થશે; અને મોટો નાનાનો દાસ થશે.”
|
26. ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
|
27. અને તે છોકરા મોટા થયા: અને એસાવચતૂર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસને માંડવાઓમાં રહેનાર હતો.
|
30. અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ “અદોમ કહેવાયું.
|
34. અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.
|