1. બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યહૂદિયાના જે લોકને બંદિવાન કરીને બાબિલ લઈ ગયો હતો, તેઓમાંથી જે માણસો છૂટીને યરુશાલેમમાં તથા યહૂદિયામાં પોતપોતાના નગરમાં પાછા આવ્યા તેઓ તેઓ આ પ્રમાણે છે:
|
2. તેઓ ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, સરાયા, રએલાયા, મોર્દખાય, બુલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ તથા બાનાની સાથે આવ્યા. ઇઝરાયલી લોકની સંખ્યા:
|
59. તેલ-મેલાહ, તેલ-હાર્શા, ખરુબ, અદાન, તથા ઇમ્મેર, તેમાંથી જેઓ પાછા આવ્યા. જેઓ ઇઝરાયલીઓમાના હતા કે નહિ એ વિષે પોતાના પૂર્વજોની વંશાવળી બતાવી શક્યા નહિ, તેઓ આ છે:
|
61. યાજકોના પુત્રોમાંના: હબાયાના પુત્રો, હાક્કોસના પુત્રો, બાર્ઝિલાય જે ગિલ્યાદી બાર્ઝિલ્લાયની દીકરીઓમાંથી એક સ્ત્રી પરણી લાવ્યો હતો ને જેથી તેનું એ નામ પાડ્યું હતું તેના પુત્રો.
|
62. એઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.
|
63. સરસૂબાએ તેઓને કહ્યું કે, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.
|
65. તે ઉપરાંત તેઓનાં દાસો તથા દાસીઓ, સાત હજાર ત્રણસો સાડત્રીસ હતાં; તેઓમાં ગવૈયાઓ તથા ગાનારીઓ બસો હતાં.
|
68. યરુશાલેમમાંના યહોવાના મંદિરમાં જ્યારે પિતૃઓનાં કુટુંબોમાંથી કેટલાક વડીલો આવ્યા, ત્યારે ઈશ્વરના મંદિરને તેની જગા ઉપર ઊભું કરવાને તેઓએ રાજીખુશીથી અર્પણ આપ્યાં.
|
69. તેઓએ પોતાની શક્તિ પ્રમાણે બાંધકામને માટે એકસઠ હજાર દારીક સોનું, પાંચ હજાર માનેહ રૂપું, તથા યાજકના સો પોશાક આપ્યા.
|
70. એમ યાજકો, લેવીઓ, તથા કેટલાક લોકો:ગવૈયાઓ, દ્વારપાળો, તથા નથીનીમ, યરુશાલેમમાં અને સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યાં.
|