2. “હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે વનનાં વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષ કરતાં શું અધિક છે?
|
3. શું તેનું લાકડું કંઈ પણ ચીજ બનાવવાના કામમાં આવે? અથવા શું માણસો કોઈ વાસણ લટકાવવાને માટે તેની ખીંટી બનાવી શકે?
|
4. જો, તે બળતણ તરીકે અગ્નિમાં નંખાય છે. અગ્નિએ તેના બન્ને છેડા ભસ્મ કર્યા છે, ને તેનો વચલો ભાગ પણ બળી ગયો છે, ત્યારે તે કોઈ કામને માટે ઉપયોગી છે શું?
|
5. જ્યારે તે આખું હતું ત્યારે પણ તે કોઈપણ ચીજ બનાવવાને માટે લાયક નહોતું; તો જ્યારે અગ્નિએ તેને ભસ્મ કર્યું છે ને તે બળી ગયું છે, ત્યારે તે કોઈ પણ કામને માટે તદ્ન નિરુપયોગી છે.
|
6. એથી પ્રભુ યહોવા કહે છે કે, જેમ વનનાં વૃક્ષોમાંના દ્રાક્ષાવૃક્ષને બળતણ તરીકે અગ્નિને હવાલે કર્યુ છે, તેમ જ હું યરુશાલેમના રહેવાસીઓને અગ્નિને હવાલે કરીશ.
|