3. અને બુદ્ધિ તથા સમજણ તથા ન તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતમાં મેં તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.
|
5. તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે.
|
6. અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે;
|
10. તથા ઝીણાં વણેલાં લૂંગડાં, તથા યાજકપદ બજાવવાને માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્ત્ર, તથા તેના દીકરાઓનાં વસ્ત્રો,
|
11. તથા અભિષેકનું તેલ, તથા પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ:તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે.”
|
13. “વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, તમે જરૂર મારા વિશ્રામવારો પાળો; કેમ કે તમારી પેઢી દરપેઢી મારી ને તમારી વચ્ચે તે ચિહ્નરૂપ છે; એ માટે કે તમે જાણો કે તમને પવિત્ર કરનાર તે હું યહોવા છું.
|
14. માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.
|
15. છ દિવસ સુધી કામ કરવામાં આવે. પણ સાતમે દિવસે યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે; જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે, તે જરૂર મારી નંખાય.
|
17. તે હમેશને માટે મારી તથા ઇઝરાયલી લોકોની વચ્ચે ચિહ્નરૂપ છે; કેમ કે યહોવાએ છ દિવસમાં આકાશ તથા પૃથ્વી બનાવ્યાં, ને સાતમે દિવસે તેમણે કામ બંધ રાખીને વિસામો લીધો.”
|
18. અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.
|