2. તેના પરાક્રમનાં તથા તેના સામર્થ્યનાં સર્વ કૃત્યો, તથા જે ઉચ્ચ પદવીએ રાજાએ મોર્દખાયને ચઢાવ્યો હતો તેનો સંપૂર્ણ હેવાલ માદાયના તથા ઈરાનના રાજાઓના કાળવૃત્તાંતોના પુસ્તકમાં લખેલો છે.
|
3. કેમ કે યહૂદી મોર્દખાય અહાશ્વેરોશ રાજાથી બીજા દરજ્જાનો, તથા યહૂદીઓમાં મહાન પુરુષ ગણાતો હતો અને પોતાના દેશબંધુઓનો માનીતો હતો; કારણ કે પોતાના લોકોનું હિત શોધતો અને તેઓ વધારે ને વધારે આબાદ થાય તે માટે યત્ન કરતો હતો.
|