1. વળી તારી યુવાવસ્થાના દિવસોમાં તારા સરજનહારનું સ્મરણ કર; માઠા દિવસો આવ્યા પહેલાં, વળી જે વર્ષો વિષે તું એમ કહેશે, “તેમાં મને કંઈ સુખ નથી” તે નજીક આવ્યા પહેલાં, તેનું સ્મરણ કર;
|
2. કેમ કે પછી સૂર્ય તથા પ્રકાશ, ચંદ્ર તથા તારા અંધકારમાં જતા રહેશે, અને વરસાદ પછી વાદળાં પાછાં આવશે:
|
3. તે દિવસે તો ઘરના કારભારીઓ ધ્રૂજશે, અને બળવાન માણસો વાંકા વળી જશે, અને દળનારી સ્ત્રીઓ થોડી હોવાથી તેમની ખોટ પડશે, અને બારીઓમાંથી બહાર જોનારની દષ્ટિ ઝાંખી થઈ જશે.
|
4. વળી રસ્તામાંનાં બારણા બંધ કરી દેવામાં આવશે; ત્યારે દળવાનો અવાજ ધીમો થશે, અને માણસ પક્ષીના અવાજથી જાગી ઊઠશે, ને સર્વ ગાનારીઓનું માન ઉતારાશે.
|
5. હા, તેઓ ઊંચાણથી બીશે, ને તેમને રસ્તે ચાલતાં ભય લાગશે; અને બદામના ઝાડને ફૂલો ખીલશે, ને તીડ બોજારૂપ થઈ પડશે, અને રુચિ નાશ પામશે; કેમ કે માણસ પોતાના દીર્ઘકાળી ઘરે જાય છે, અને વિલાપ કરનારાઓ મહોલ્લાઓમાં ફરે છે.
|
6. તે દિવસે રૂપરી દોરી તૂટી જશે અને સોનેરી પ્યાલો ભાંગી જશે, અને ગાગર ઝરા આગળ ફૂટી જશે, અને ચાકળો ટાંકી આગળ ભાંગી જશે.
|
9. વળી સભાશિક્ષક સમજણો હતો, તેથી તે લોકોને જ્ઞાન શીખવ્યા કરતો; હા, તે વિચાર કરીને ઘણાં નીતિવચનો શોધી કાઢતો, અને તેમને નિયમસર ગોઠવતો.
|
11. બુદ્ધિમાનનાં વચનો આર જેવાં છે અને સભાપતિઓ નાં વચનો કે જે એક પાળક તરફથી આપવામાં આવેલાં છે, તેઓ બરાબર જડેલા ખીલા જેવાં છે.
|
12. વળી મારા દીકરા, શિખામણ માન:ઘણાં પુસ્તકો રચવાનો કંઈ પાર નથી; અને અતિ વિદ્યાભ્યાસથી શરીર થાકી જાય છે.
|
13. વાતનું પરિણામ આપણે સાંભળીએ; તે આ છે: ઈશ્વરનું ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.
|