1. અને મૂસાએ સર્વ ઇઝરાયલને બોલાવીને તેઓને કહ્યું, “હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું આજે તમારા સાંભળતાં કહી સંભળાવું છું તે સાંભળો કે તમે તે શીખો તથા તે પાળીને તેમનો અમલ કરો.
|
3. યહોવાએ એ કરાર આપણા પિતૃઓની સાથે તો નહિ, પણ આપણી સાથે, હા, આપણા સર્વ, જેઓ આજે અહીં જીવતા છીએ તેમની સાથે કર્યો.
|
5. તે સમયે યહોવાની વાણી તમને કહી સંભળાવવાને હું યહોવાની તથા તમારી વચમાં ઊભો રહ્યો હતો; કેમ કે તમે અગ્નિથી ડરી જઈને પર્વત ઉપર ચઢ્યા નહિ. તે એમ બોલ્યા કે,
|
8. તું પોતાને માટે કોરેલી મૂર્તિ ન કર, ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેના પાણીમાંની કોઈ પણ ચીજની પ્રતિમા ન કર.
|
9. તું તેઓની આગળ ન નમ, ને તેઓની સેવા ન કર. કેમ કે હું યહોવા તારો ઈશ્વર આવેશી ઈશ્વર છું:જેઓ મારો દ્વેષ કરે છે તેઓની ત્રીજીચોથી પેઢી સુધી, પિતાના અન્યાયની શિક્ષા છોકરાં પર લાવનાર;
|
11. યહોવા તારા ઈશ્વરનું નામ તું વ્યર્થ ન લે. કેમ કે જે કોઈ યહોવાનું નામ વ્યર્થ લે ચે તેને તે નિર્દોષ ગણશે નહિ.
|
14. પણ સાતમો દિવસ યહોવા તારા ઈશ્વરનો સાબ્બાથ છે: તેમાં તું કંઈ કામ ન કર, તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારો દાસ કે તારી દાસી, કે તારો બળદ કે તારું ગધેડું કે તારું કોઈ પણ ઢોર, કે તારા દરવાજાની અંદર વસનાર પરદેશી. એ માટે કે જેમ તને તેમજ તારાં દાસને તથા તારી દાસીને વિશ્રામ મળે.
|
15. અને તું યાદ રાખ કે તું મિસર દેશમાં દાસ હતો, ને તારા ઈશ્વર યહોવા તને ત્યાંથી પરાક્રમી હાથ વડે તથા લંબાવેલા ભુજ વડે કાઢી લાવ્યા. તે માટે યહોવા તારા ઈશ્વરે તને સાબ્બાથ દિવસ પાળવાની આજ્ઞા આપી.
|
16. યહોવા તારા ઈશ્વરે તને આજ્ઞાઆપી તે પ્રમાણે તારા પિતાનું તથા તારી માનું તું સન્માન રાખ; કે, યહોવા તારા ઈશ્વર જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય ને તારું ભલું થાય
|
21. તું તારા પડોશીની પત્ની પર લોભ ન રાખ. અને તું તારા પાડોશીનું ઘર, તેનું ખેતર, કે તેનો દાસ, કે તેની દાસી, તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.’
|
22. આ વચનો યહોવા પર્વત ઉપર અગ્નિજ્વાળા તથા વાદળ તથા ઘોર અંધકારની મધ્યેથી મોટે અવાજે તમારી આખી સભાની આગળ બોલ્યા. અને તેમાં તેમણે કંઈ વધારો કર્યો નહિ. અને તેમણે બે શિલાપાટીઓ ઉપર તે લખીને મને આપી.
|
23. અને પર્વતોમાંથી ભડકા નીકળતા હતા, ને તેની સાથે અંધકારની મધ્યેથી નીકળતી વાણી તમે સાંભળી, ત્યારે એમ થયું કે, તમે, એટલે તમારાં કુળોના સર્વ આગેવાનો તથા તમારા વડીલો, મારી પાસે આવ્યા.
|
24. અને તમે કહ્યું, ‘જો, યહોવા આપણા ઈશ્વરે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું માહાત્મ્ય બતાવ્યું છે, ને અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે ઈશ્વર મનુષ્યની સાથે બોલે છે, ને તેમ છતાંય એ મનુષ્ય જીવતો રહે છે.
|
25. તો હવે અમે શા માટે માર્યા જઈએ? કેમ કે આ મોટો અગ્નિ તો અમને ભસ્મ કરી નાખશે. જો યહોવા અમારા ઈશ્વરની વાણી હવે અમે જરા પણ વધારે વાર સાંભળીશું તો અમે માર્યા જઈશું.
|
26. કેમ કે સર્વ દેહધારીઓમાં એવો કોણ છે કે જીવતા ઈશ્વરની વાણી હવે અમે સાંભળી છે તેમ અગ્નિજ્વાળા મધ્યેથી બોલતી સાંભળીને જીવતો રહ્યો હોય?
|
27. તું પાસે જઈને યહોવા આપણા ઈશ્વર જે બોલે તે બધું સાંભળ. અને યહોવા આપણા ઈશ્વર જે તને કહે તે બધું તું અમને કહેજે. અને અમે તે સાંભળીને તેનો અમલ કરીશું.’
|
28. અને તમે મારી સાથે વાત કરતા હતા, ત્યારે યહોવાએ તમારો અવાજ સાંભળ્યો. અને યહોવાએ મને કહ્યું, કે ‘આ લોકોએ જે કંઈ તને કહ્યું છે તે મેં સાંભળ્યું છે. જે બધું તેઓ બોલ્યા છે તે તેમનું કહેવું ઠીક છે.
|
29. અરે, જો આ લોકોનું હ્રદય એવું હોય કે તેઓ મારો ડર રાખે ને મારા સર્વ હુકમ સદા પાળે તો કેવું સારું! કેમ કે ત્યારે તો તેમનું તથા તેમના વંશજોનું સદા ભલું થાય!
|
31. પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે સર્વ તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાળે.’
|
32. માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.
|
33. જે માર્ગ યહોવા તમારા ઈશ્વરે તમને ફરમાવ્યો છે તેમાં જ તમારે ચાલવું, એ માટે કે તમે જીવતા રહો, ને તમારું ભલું થાય, ને દેશનું વતન તમે પામશો તેમાં તમારું આયુષ્ય લાંબું થાય.
|