1. લેવી યાજકોને, એટલે લેવીના આખા કુળને, ઇઝરાયલની સાથે ભાગ કે વારસો ન મળે. તેઓ યહોવાના હોમયજ્ઞ તથા તેના વારસા ઉપર ગુજરાન ચલાવે.
|
2. અને તેઓને તેઓના ભાઈઓની મધ્યે વારસો ન મળે; તેઓનો વારસો તો યહોવા છે, જેમ તેમણે તેનોને કહ્યું છે તેમ.
|
3. અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનારા તરફથી યાજકોને આ દાપું મળે કે, તેઓ યાજકને બાવડું તથા બન્ને ગલોફાં તથા હોજરી આપે.
|
4. તારા અનાજનાં, તારા દ્રાક્ષારસનાં તથા તારા તેલનાં પ્રથમફળ, તથા તારા ઘેટાંનું પહેલી કાતરણીનું ઊન તું તેને આપ.
|
5. કેમ કે યહોવઅ તારા ઈશ્વરે તારાં સર્વ કુળોમાંથી તેને તથા તેના પુત્રોને સદાને માટે પસંદ કર્યા છે કે, તેઓ ઊભા રહીને યહોવાને નામે સેવા કરે.
|
6. અને કોઈ લેવી આખા ઇઝરાયલમાં તારા કોઈ પણ ગામમાં વસેલો હોય, ને તે ત્યાંથી નીકળીને પોતાના મનની પૂરી ઇચ્છાથી યહોવા જે સ્થળ પસંદ કરવાના છે ત્યાં આવે;
|
7. તો ત્યાં યહોવાની હજૂરમાં ઊભા રહેનાર તેના સર્વ લેવી ભાઈઓ જેમ કરે છે તેમ તે પણ યહોવા તેના ઈશ્વરને નામે સેવા કરે.
|
9. જે દેશ યહોવા તારા ઈશ્વર તને આપે છે તેમાં તું જાય ત્યારે તે દેશજાતિઓનાં અમંગળ કૃત્યોનું અનુકરણ કરતાં તારે ન શીખવું.
|
10. તારી મધ્યે એવો કોઈ જન ન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને ને દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર,
|
12. કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવા કંટાળે છે. અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવા તારા ઈશ્વર તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.
|
14. કેમ કે આ જે દેશજાતિઓનું તું વતન પામવાનો છે તેઓ શકુન જોનારાઓનું તથા જોષ જોનારાઓનું સાંભળે છે; પણ તને તો યહોવા તારા ઈશ્વરે એમ કરવા દીધું નથી.
|
15. યહોવા તારા ઈશ્વર તારે માટે, તારી મધ્યેથી, તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે; તેનું તમારે સાંભળવું.
|
16. હોરેબમાં સભાને દિવસે જે સર્વ તેં યહોવા તારા ઈશ્વર પાસે માંગ્યું કે, હવે પછી યહોવા મારા ઈશ્વરની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખેને હું માર્યો જાઉં, તે પ્રમાણે.
|
18. હું તેમને માટે તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ. અને હું મારાં વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તે તેઓને કહેશે.
|
20. પણ જે પ્રબોધક ગર્વ કરીને મારે નામે, જે વાત બોલવાની મેં તેને આ આપી નથી તે બોલશે, અથવા અન્ય દેવોને નામે જે બોલશે, તે પ્રબોધક માર્યો જશે.’
|
22. જ્યારે પ્રબોધક યહોવાને નામે બોલે, અને જો તે વાત પ્રમાણે ન થાય, અથવા તે પૂરી કરવામાં ન આવે, તો તે વાત યહોવા બોલ્યા નથી એમ તારે જાણવું. પ્રબોધક ગર્વથી તે બોલ્યો છે, તેનાથી તું બીશ નહિ.
|