1. ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, “શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું, “જા.” દાઉદે પૂછ્યું, “હું ક્યાં જાઉં?” તેમણે કહ્યું, “હેબ્રોનમાં.”
|
2. તેથી દાઉદ અને તેની બે સ્ત્રીઓ એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલ કાર્મેલીની વિધવા અબિગાઇલ, ત્યાં ગયાં.
|
3. અને તેની સાથેના માણસોને પણ પોતપોતાના કુટુંબ પરિવારસહિત દાઉદ તેઓને લઈ ગયો. તેઓ હેબ્રોનનાં નગરોમાં રહ્યાં.
|
4. અને યહૂદિયાના માણસો આવ્યા, ને ત્યાં તેઓએ દાઉદને યહૂદાના કુળ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો. તેઓએ દાઉદને એવા સમાચાર આપ્યા, શાઉલને દાટનાર તે યાબેશ-ગિલ્યાદના માણસો હતા.”
|
5. ત્યારે દાઉદે યાબેશ-ગિલ્યાદના માણસો પાસે હલકારા મોકલીને તેઓને કહાવ્યું, “યહોવા તમને આશિષ દો, કેમ કે તમે તમારા રાજા શાઉલ પર આવી કૃપા કરીને તેમને દાડ્યા છે.
|
6. હવે યહોવા તમારા પ્રત્યે કૃપા તથા સત્ય દેખાડો. વળી તમે એ કૃત્ય કર્યું છે, માટે હું પણ, તમને તમારી એ ભલાઈનો બદલો આપીશ.
|
7. માટે, હવે તમારા હાથ બળવાન થાઓ, ને તમે શૂરવીર થાઓ; કેમ કે તમારા રાજા શાઉલ મરણ પામ્યા છે, ને વળી યહૂદાના કુળે પોતા પર રાજા તરીકે મને અભિષિક્ત કર્યો છે.”
|
9. તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.
|
10. (શાઉલનો દિકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, ને તેણે બે વર્ષ રાજ કર્યું.) પણ યહૂદાનું કુળ તો દાઉદને તાબે રહ્યું.
|
13. અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.
|
14. અને આબ્નેરે યોઆબને કહ્યું, “કૃપા કરીને જુવાનોને ઊઠીને આપણી આગળ કંઈ ગમત કરવા દે.” યોઆબે કહ્યું, “તેઓ ભલે ઊઠે.”
|
15. ત્યારે તેઓ સરખી સંખ્યામાં ઊઠીને સામી બાજુએ ગયા; એટલે બિન્યામીન તરફથી તથા શાઉલના દિકરા ઈશ-બોશેથ તરફથી બાર, ને દાઉદના ચાકરોમાંથી બાર.
|
16. તેઓમાંના પ્રત્યેક માણસે તેના સાથીનું ડોકું પકડીને પોતાની તરવાર તેના સાથીની કૂખમાં ભોકી દીધી; અને તે બધા સાથે નીચે પડ્યા; માટે તે જગાનું નામ હેલ્કાથ-હાસ્સુરીમ પડ્યું, તે ગિબ્યોનમાં છે.
|
18. અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.
|
21. આબ્નેરે તેને કહ્યું, “તારી જમણી કે ડાબી બાજુએ ફરી જા, ને જુવાનોમાંથી એકને પકડીને તેનાં શસ્ત્ર લે.” પણ અસાહેલ તેની પાછળથી મરડાયો નહિ.
|
22. આબ્નેરે ફરીથી અસાહેલને કહ્યું, “મારી પાછળ લાગવાથી તું આડો અવળો ફરી જા; શા માટે તું મારે હાથે જમીનદોસ્ત થવા માગે છે? જો એમ થાય તો હું તારા ભાઈ યોઆબને શી રીતે મારું મોં દેખાડું?”
|
23. પણ તેણે બાજુ પર ફરી જવાનું માન્યું જ નહિ; તેથી આબ્નેરે ભાલાના દાંડાનો ગોદો તેના પેટમાં એવો માર્યો કે ભાલો તેની પીઠ પાછળ નીકળ્યો; અને તે ત્યાં જ પડીને મરણ પામ્યો. અને એમ થયું કે અસાહેલ પડીને મરણ પામ્યો હતો તે જગાએ જેટલા માણસો આવ્યા, તે ત્યાં જ ઊભા રહ્યા.
|
24. પણ યોઆબ તથા અબિશાય આબ્નેરની પછવાડે પડ્યા; અને આમ્મા પર્વત કે, જે ગિબ્યોનના રાનના માર્ગે ગીયાહ આગળ છે, ત્યાં તેઓ પહોંચ્ય, ત્યારે સૂર્યાસ્ત થયો.
|
26. ત્યારે આબ્નેરે યોઆબને હાંક મારીને કહ્યું, “શું તરવાર સદા સંહાર કર્યા કરેશે? શું તું જાણતો નથી કે એનું પરિણામ તો કડવું જ આવશે? ત્યારે લોકોને પોતાના ભાઈઓની પાછળ પડવાથી પાછા ફરવાનો હુકમ કરવાને તું ક્યાં સુધી વિલંબ કરીશ?”
|
27. યોઆબે કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, જો તું બોલ્યો ન હોત તો આ લોકોએ છેક સવાર સુધી પોતાના ભાઈઓનો પીછો પકડે રાખ્યો હોત.”
|
28. પછી યોઆબે રણશિંગડું વગાડ્યું, એટલે સર્વ લોકો ઊભા રહ્યા, અને ઇઝરાયલની પાછળ પડતાં અટક્યા, ને તેઓએ લડવું બંધ કર્યું.
|
29. અને આબ્નેર તથા તેના માણસો તે આખી રાત અરાબામાં થઈને ચાલ્યા, અને યર્દન ઊતરીને તથા આખું બિથ્રોન ઓળંગીને તેઓ માહનાઈમ પહોંચ્યા.
|
30. અને યોઆબ આબ્નેરની પાછળ પડવાથી પાછો ફર્યો. તેણે સર્વ લોકોને એક્ત્ર કર્યા, ત્યારે દાઉદના ચાકરોમાંથી ઓગણીસ માણસ તથા અસાહેલ ઓછા માલૂમ પડ્યા.
|
31. પણ દાઉદના ચાકરોએ બિન્યામીનના તથા આબ્નેરના માણસોને એવા માર્યા કે તેઓમાંના ત્રણસો ને સાઠ માણસો મરી ગયા.
|
32. તેઓએ અસાહેલને ઊંચકી જઈને તેને બેથલેહેમમાંની તેના પિતાની કબરમાં દાટ્યો. યોઆબ તથા તેના માણસો આખી રાત ચાલ્યા, ને હેબ્રોન પહોંચતા સૂર્યોદય થયો.
|