1. દાઉદનો પુત્ર સુલેમાન પોતાના રાજ્યમાં બળવાન થયો, ને તેના ઈશ્વર યહોવાએ તેની સાથે રહીને તેનો મહિમા બહુ વધાર્યો.
|
2. સુલેમાને સર્વ ઇઝરાયલને, સહસ્રાધિપતિઓને, શતાધિપતિઓને, ન્યાયાધીશોને તથા આખા ઇઝરાયલમાંના સર્વ સરદારોને, એટલે પિતૃઓનાં કુટુંબોના વડીલોને ભેગા થવાની આજ્ઞા કરી.
|
3. પછી તે પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાને ગયો, કેમ કે ઈશ્વરનો મુલાકાતમંડપ જે યહોવાના સેવક મૂસાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો.
|
4. પણ દાઉદે ઈશ્વરના કોશને માટે જે જગા તૈયાર કરી હતી ત્યાં તે તેને કિર્યાથ-યારીમથી લાવ્યો હતો; કેમ કે તેણે તેને માટે યરુશાલેમમાં તંબુ માર્યો હતો.
|
5. વળી હૂરના પુત્ર ઉરીના પુત્ર બસાલેલે પિત્તળની જે વેદી બનાવી હતી, તે ત્યાં યહોવાના મંડપની સામે હતી; અને સુલેમાને તથા સર્વ લોકોએ ત્યાં જઈને યહોવાની આરાધના કરી.
|
6. તેથી મુલાકાતમંડપ આગળની પિત્તળની જે વેદી યહોવાની સમક્ષ હતી તેની પાસે સુલેમાન ગયો, ને તેના પર તેણે એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.
|
9. હવે, હે યહોવા ઈશ્વર, તમે મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું તે ફળીભૂત થાઓ; કેમ કે પૃથ્વીની ધૂળની રજ જેટલા અસંખ્ય લોક પર તમે મને રાજા કર્યો છે.
|
10. આ લોકોને લગતી સર્વ બાબતોની વ્યવસ્થા હું કરી શકું, માટે મને ડહાપણ તથા વિવેકબુદ્ધિ આપો; કેમ કે તમારી આ મહાન પ્રજાનો ન્યાય કોણ કરી શકે?”
|
11. ઈશ્વરે સુલેમાનને કહ્યું, “તારા અંત:કરણમાં આ હતું, તેં ધન, સંપત્તિ કે ગૌરવ કે તારો દ્વેષ કરનારાઓના જીવ માગ્યા નહિ; પરંતુ મારા જે લોક ઉપર મેં તને રાજા ઠરાવ્યો છે, તેઓનો ન્યાય તું કરી શકે માટે તેં પોતાને માટે ડહાપણ તથા વિવેકબુદ્ધિ માગ્યાં છે.
|
12. તે માટે મેં તને ડહાપણ તથા વિવેકબુદ્ધિ બક્ષ્યાં છે. વળી હું તેન એટલું બધું ધન, સંપત્તિ તથા માન આપીશ કે જેટલું તારી અગાઉ થઈ ગયેલા કોઈ રાજાઓને ન હતું, ને તારી પાછળના કોઈને મળશે પણ નહિ.”
|
13. સુલેમાન ગિબ્યોનમાંના ઉચ્ચસ્થાનથી, એટલે મુલાકાતમંડપ આગળથી, યરુશાલેમ આવ્યો, ને તેણે ઇઝરાયલ ઉપર રાજ કર્યું.
|
14. સુલેમાને રથો તથા સવારો એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો તથા બાર હજાર સવારો હતા, તેઓને તેણે રથો રાખવાના નગરોમાં તથા યરુશાલેમમાં પોતાની પાસે રાખ્યા.
|
15. રાજાએ યરુશાલેમમાં સોનુરૂપું એટલું બધું વધારી દીધું કે તે પથ્થરને તોલે થઈ પડ્યું, ને એરેજવૃક્ષોને એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશમાંના ગુલ્લરો સરખાં થઈ પડ્યાં.
|
16. સુલેમાનના ઘોડા મિસરમાંથી લાવેલા હતા. રાજાના સોદાગરો તેમને જથાબંધ, એટલે દરેક જથાની અમુક કિંમત આપીને, રાખતા હતા.
|
17. મિસર જઈને તેઓ ત્યાંથી દરેક રથ રૂપાના છસો શેકેલ, અને દરેક ઘોડો દોઢસો શેકેલ આપીને લઈ આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે સોદાગરો ઘોડા લઈ આવતા.
|