2. હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું; અને બીજાનું નામ અબિયા હતું; તેઓ બેર-શેબામાં ન્યાયાધીશ હતા.
|
3. અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયાને ઊંધો વાળ્યો.
|
5. તેઓએ તેને કહ્યું, “જુઓ, તમે વૃદ્ધ થયા છો, ને તમારા દીકરા તમારા માર્ગોમાં ચાલતા નથી; માટે બીજી સર્વ પ્રજાઓની જેમ અમારો ન્યાય કરવા મઅટે અમને રાજા ઠરાવી આપો.”
|
6. પણ ‘અમારો ન્યાય કરવા માટે અમને રાજા આપો.’ એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી શમુએલને માઠું લાગ્યું. પછી શમુએલે યહોવાની પ્રાર્થના કરી.
|
7. અને યહોવાએ શમુએલને કહ્યું, “લોકો જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ; કેમ કે તેઓએ તને નકાર્યો નથી, પણ હું તેઓ પર રાજ ન કરું માટે મને નકાર્યો છે.
|
8. હું તેઓને મિસરમાંથી કાઢી લાવ્યો, તે દિવસથી તે આજ સુધી જે સર્વ કામ તેઓએ કર્યા છે, એટલે મને તજીને તેઓએ અન્ય દેવોની ઉપાસના કરી છે, તે જ પ્રમાણે તેઓ તારી સાથે પણ વર્તે છે.
|
9. તો હવે તેઓનું કહેવું સાંભળ. તથાપિ ગંભીર રીતે તેમની આગળ વાંધો કાઢજે, અને તેઓ પર કેવા પ્રકારનો રાજા ચલાવશે તે તેમને કહી બતાવજે.”
|
11. વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે.
|
12. તે પોતાને માટે તેઓને હજારહજાર ઉપર સરદારો ને પચાસ પચાસ ઉપર સરદારો બનાવશે; તે કેટલાકને પોતાનાં ખેતરો ખેડવા, કાપણી કરવા, તથા યુદ્ધનાં શસ્ત્રોને પોતાના રથોનો સામાન બનાવવા કામે લગાડશે.
|
14. વળી તે તમારાં ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે.
|
15. વળી તે તમારા અનાજનો ને તમારી દ્રાક્ષાવાડીઓનો દશમો ભાગ લઈને પોતાના કારભારીઓને તથા પોતાના ચાકરોને આપશે.
|
16. તે તમારા દાસોને, તમારી દાસીઓને, ને તમારા ઉત્તમ જુવાનોને, તથા તમારાં ગધેડાંને પકડીને પોતાને કામે લગાડશે.
|
18. અને તમારા પસંદ કરેલા રાજાને કારણે તે દિવસે તમે પોકાર કરશો; પણ યહોવા તે દિવસે તમને ઉત્તર આપશે નહિ.”
|
19. એમ છતાં લોકોએ શમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું, “ના, ના; અમારે તો અમારા પર રાજા જોઇએ જ;
|
20. જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ. એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે, ને અમારી લડાઈઓ લડે.”
|
22. ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “તેઓની વાણી સાંભળ, ને તેઓને માટે રાજા ઠરાવી આપ.” પછી શમુએલે ઇઝરાયલી માણસોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ.”
|