2. નાદાબ તથા અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં. માટે એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા.
|
3. દાઉદે તથા એલાઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેખે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા.
|
4. ઇથામારના પુત્રોમાં એલાઝારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા. એલાઝારના પુત્રોમાં આગેવાન પુરુષો સોળ હતા, માટે તેઓના સોળ વર્ગ પડ્યા. અને ઇથામારના પુત્રોમાં આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેના આઠ વર્ગ પાડ્યા.
|
5. ચિઠ્ઠી નાખીને તે બન્ને ટોળિઓના સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલાઝારના પુત્રોમાંથી તેમ જ ઇથામારના પુત્રોમાંથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ નીમવામાં આવ્યા હતા.
|
6. નથાનિયેલનો પુત્ર શમાયા ચિટનીસ, જે લેવીઓમાંનો એક હતો, તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકોનાં ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી; એલાઝાર તથા ઇથામારનું વારાફરતી એક કુટુંબ ગણાતું.
|
19. ઇઝરાયલના ઈશ્વર યહોવાએ તેઓના પિતા હારુનને આપેળી આજ્ઞા પ્રમાણે તેની મારફતે અપાયેલા હુકમ પ્રમાણે સેવા કરવાને યહોવાનાં મંદિરમાં આવવાનો તેઓનો અનુક્રમ એ પ્રમાણે હતો.
|
31. તેઓએ પણ પોતાના ભાઈ હારુનપુત્રોની જેમ દાઉદ રાજાની, સાદોકની, અહીમેલેખની તથા યાજકો ને લેવીઓનાં કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ ચિઠ્ઠીઓ નાખી; એટલે કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
|