1. પછી સર્વ ઇઝરાયલે હેબ્રોનમાં દાઉદની પાસે એકત્ર થઈને કહ્યું, “અમે તમારા હડકાના તથા તમારા માંસના છીએ.
|
2. ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તમે જ હતા. તેમ જ તમારા ઈશ્વર યહોવાએ અમને કહ્યું હતું, ‘તું મારા ઇઝરાયલી લોકનું પાલન કર, ને તું જ મારા ઇઝરાયલી લોકો પર અધિકરી થશે.’”
|
3. આ પ્રમાણે ઇઝરાયલના સર્વ વડીલો હેબ્રોનમાં રાજાની પાસે ભેગા થયા. અને દાઉદે ત્યાં યહોવાની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. અને શમુએલ દ્વારા અપાયેલા યહોવાના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
|
5. યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યુ, “તારાથી કદી પણ અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
|
6. દાઉદે કહ્યું, “જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાનો પુત્ર યોઆબ પ્રથમ ચઢી ગયો, ને સેનાપતિ બન્યો.
|
10. દાઉદના મુખ્ય યોદ્ધાઓ નીચે પ્રમાણે છે: તેઓ ઇઝરાયલ વિષેના યહોવાના વચન પ્રમાણે તેને રાજા કરવા માટે સર્વ ઇઝરાયની સામે મક્કમપણે તેના રજ્યમાં તેની પડખે રહ્યા.
|
11. દાઉદના યોદ્ધાઓની ગણતરી આ છે: હાખ્મોનીનો પુત્ર યોશાબામ, એ ત્રણમાંનો મુખ્ય હતો. તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને એકી વખતે મારી નાખ્યા.
|
13. પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ને ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને માટે એકત્ર થયા હતા; અને લોકો એમની આગળથી નાસતા હતા.
|
14. ત્યારે તેઓએ તે ખેતરમાં ઊભા રહીને તેનો બચાવ કર્યો, ને પલિસ્તીઓને મારી નાખ્યા. યહોવાએ મોટો જય કરીને તેઓને બચાવ્યા.
|
15. ત્રીસ મુખ્યમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યે રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
|
17. દાઉદે બહુ આતુર થઈને કહ્યું, “બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી કોઈ મને પીવડાવે તો કેવું સારું!”
|
18. તે સાંભળીને પેલા ત્રણ પલિસ્તીઓની છાવણીમાં ઘસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂંવામાંથી પાણી કાઢ્યું. ને દાઉદની પાસે તે લઈ આવ્યા; પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી, પણ યહોવાની આગળ તે રેડી દીધું,
|
19. ને કહ્યું, “મારો ઈશ્વર મારી પાસે એવું ન કરાવે. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવને જોખમે તે લાવ્યા છે.” આથી તે પીવાને તે રાજી ન હતો. એ ત્રણ યોદ્ધાઓએ એ ત્રણ કાર્યો કર્યા.
|
20. યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણમાંનો મુખ્ય હતો; કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખીને એ ત્રણમાં નામ મેળવ્યું.
|
22. કાબ્સેલ ગામ ના પરાક્રમી કૃત્યો કરનાર એક શયૂરવીર પુરુષના પુત્ર યહોયાદાનો પુત્ર બનાયા હતો, એણે મોઆબી અરીએલના બે પુત્રોને મારી નાખ્યા. વળી એક વાર હિમ પડતું હતું તે વખતે તેણે એક ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
|
23. વળી તેણે એક મોટા કદાવર પાંચ હાથના મિસરી પુરુષને મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી. એ ફક્ત લાકડી લઈને તેની પાસે જઈ પહોંચ્યો, ને મિસરીના હાથમાંથી બરછી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
|
25. તે ત્રીસમાં નામીચો હતો, પણ તે પેલા ત્રણની બરોબરી કરી શક્યો નહિ; દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
|