1. યોથામ રાજ કરવા લાગ્યો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં સોળ વર્ષ સુધી રાજ કર્યું, તેની માનું નામ યરુશા હતું. તે સાદોકની દીકરી હતી.
|
2. તેના પિતા ઉઝિયાએ જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પરંતું યહોવાના મંદિરમાં તે પેઠો નહિ. હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા.
|
4. તે ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં, ને વનોમાં તેણે કિલ્લા તથા બુરજો બાંધ્યાં.
|
5. વળી તેણે આમ્મોનીઓના રાજાની સામે લડીને તેઓના ઉપર વિજય મેળવ્યો. આમ્મોનીઓએ તે જ વર્ષે તેને સો તાલંત રૂપું, દશ હજાર માપ ઘઉં તથા દશ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યા આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી.
|
7. યોથામનાં બાકીનાં કૃત્યો, તેના વિગ્રહો તથા તેનાં આચરણ, એ સર્વ ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે.
|
9. યોથામ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેઓએ તેને દાઉદનગરમાં દાટ્યો. તેના પુત્ર આહાઝે તેને સ્થાને રાજ કર્યું.
|