2. ઈઝરાયલના દેશમાં જે પરદેશીઓ હતા તેઓને એકત્ર કરવાની દાઉદે આજ્ઞા આપી, અને ઈશ્વરનું મંદિર બાંધવાને જોઈતા પથ્થર ઘડવા માટે સલાટોને તેણે કામે લગાડ્યા.
|
4. વળી અસંખ્ય એરેજવૃક્ષો એકઠાં કર્યા; કેમ કે સિદોનીઓ તથા તૂરીઓ દાઉદની પાસે પુષ્કળ એરેજવૃક્ષો લાવ્યા.
|
5. દાઉદે કહ્યું, “મારો પુત્ર સુલેમાન જુવાન ને બિનનુભવી છે, ને યહોવાને માટે જે મંદિર બાંધવાનું છે તે અતિ ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તથા શોભાયમાંન થવું જોઈએ; તેથી હું તેને માટે આગળથી તૈયારી કરીશ.” આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી.
|
6. પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો, ને ઇઝરાયલના ઈશ્વર યહોવાને માટે મંદિર બાંધવાની તેને સોંપણી કરી.
|
7. દાઉદે સુલેમાનને કહ્યું, “હે મારા પુત્ર, મારા ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા મનમાં હતું તો ખરું,
|
8. પણ મારી પાસે યહોવાની વાણી એવી આવી હતી કે, ‘તેં પુષ્કળ લોહી વહેવડાવ્યું છે, માટે તારે મારા નામને માટે મંદિર બાંધવું નહિ.
|
9. તને પુત્ર થશે, તે શાંતિશીલ પુરુષ થશે; અને તેના ચારે તરફના તમામ શત્રુઓથી હું તેને વિશ્રાંતિ આપીશ. તેનું નામ સુલેમાન થશે, ને હું તેની કારકિર્દીમાં ઇઝરાયલને સુલેહ તથા શાંતિ આપીશ.
|
10. તે મારા નામને માટે મંદિર બાંધશે, તે મારો પુત્ર થશે, ને હું તેનો પિતા થઈશ, અને ઇઝરાયલ પર તેનું રાજ્ય હું સર્વકાળ કાયમ રાખીશ.’
|
11. મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.
|
12. યહોવાએ તને ઇઝરાયલીઓ ઉપર અધિકારી ઠરાવ્યો છે, માટે તે તને વિવેકબુદ્ધિ તથા ડહાપણ આપો કે, તું તારા ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે ચાલે.
|
13. જે વિધિઓ તથા હુકમો યહોવાએ ઇઝરાયલ સંબંધી મૂસાને ફરમાવ્યા તે જો તું પાળીને અમલમાં લાવશે તો જ તું ફતેહમંદ થશે; બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા. બીશ નહિ, ને ગભરાઈશ પણ નહિ.
|
14. જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને માટે એક લાખ તાલંત સોનું તથા દશ લાખ તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. લાકડાં તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યાં છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે.
|
15. વળી તારી પાસે પુષ્કળ કારીગરો, એટલે પથ્થર તથા લાકડા ઘડનારા તથા હરકોઈ કામમાં નિપુણ એવા ઘણા પુરુષો છે.
|
18. શું તમારા ઈશ્વર યહોવા તમારી સાથે નથી? શું તેમણે તમને ચોતરફ શાંતિ આપી નથી? તેમણે દેશના મૂળ રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે; અને યહોવાએ તથા તેના લોકે દેશ સર કર્યો છે.
|
19. તો હવે તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં તમારું અંત:કરણ તથા તમારો જીવ લગાડો. અને યહોવાના નામને માટે જે મંદિર બાંધવાનું છે, તેમાં યહોવાનો કરારકોશ તથા ઈશ્વરનાં પવિત્ર પાત્રો લાવવા માટે તમે યહોવા ઈશ્વરનું પવિત્રસ્થાન બાંધવાને તૈયાર થાઓ.”
|