1. પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો પ્રાપ્ત કરવા ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.
|
2. કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે. કેમ કે કોઈ તેનું બોલવું સમજતું નથી. પણ આત્મામાં તે મર્મો બોલે છે.
|
5. હવે મારી એવી ઇચ્છા છે કે, તમે સર્વ અન્ય ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઇચ્છા છે. વળી ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્નતિ કરવા માટે ભાષાંતર ન કરે, તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.
|
6. વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને અન્ય ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?
|
7. એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્નતા ન હોય, તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલૂમ પડે?
|
9. એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા થશો.
|
11. એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.
|
12. એ પ્રમાણે તમે પણ આત્મિક દાનો પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવો પ્રયત્ન કરો.
|
14. કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે.
|
15. તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ.
|
16. નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.
|
19. તોપણ મંડળીમાં અન્ય ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.
|
21. નિયમશાસ્ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.
|
22. એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને ચિહ્નરૂપ છે.
|
23. એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, અને સર્વ અન્ય ભાષાઓમાં બોલે, અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે?
|
24. પણ જો સર્વ પ્રબોધ કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને હ્રદયભેદક શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે.
|
25. અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.
|
26. વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ અન્ય ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. પણ બધું ઉન્નતિને માટે થવું જોઈએ.
|
27. જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ બોલે, અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.
|
28. પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા ના મન ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું.
|
34. સ્ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
|
35. જો તેઓને કંઈ શીખવાની ઇચ્છા હોય, તો તેઓએ ઘરે પોતાના પતિઓને પૂછવું; કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમભરેલું છે.
|
37. જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમાર પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું.
|