1. જ્યારે કોઈ પુરુષ સ્ત્રી પરણી લાવે ત્યારે એમ થાય કે જો તેને તેનામાં કંઈ નાલાયક વાત માલૂમ પડ્યાથી તે તેની નજરમાં કૃપા ન પામે તો તે તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને તેને પોતાના ઘરમાંથી કાઢી મૂકે.
|
3. અને જો તેના બીજા પતિની તેના પર નાખુશી થાય, અને તે પણ તેને છૂટાછેડા લખી આપે, ને તે તેના હાથમાં મૂકીને પોતાના ઘરમાંથી તેને કાઢી મૂકે, અથવા જે બીજા પતિએ તેને પોતાની સ્ત્રી કરી લીધી હતી, તે જો મરણ પામે,
|
4. તો તેના પહેલા પતિએ તેને કાઢી મૂકી હતી તે તેને અશુદ્ધ થયા પછી ફરીથી પોતાની પત્ની કરી ન લે, કેમ કે યહોવાની દષ્ટિમાં તે અમંગળપણું છે. અને જે દેશ યહોવા તારા ઈશ્વર તને વારસા તરીકે આપે છે તેના પર તું દોષ ન લાવ.
|
5. જ્યારે કોઈ પુરુષ નવી સ્ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે.
|
7. જો કોઈ માણસ ઇઝરાયલનાં સંતાનમાંથી પોતાના કોઈ ભાઈનું હરણ કરે, ને તેની પાસે ગુલામી કરાવે, અથવા તેને વેચે, તો તે ચોર માર્યો જાય. એમ તું તારી મધ્યેથી ભૂંડાઈ દૂર કર.
|
8. કોઢ રોગ વિષે તું સાવચેત થઈને લેવી યાજકો તને જે કંઈ શીખવે તે સર્વ તું ખંતથી પાળીને બજાવ. જેમ મેં તમને આજ્ઞા કરી તેમ તમે સાંભળીને કરો.
|
13. સૂર્ય આથમતાં તારે તે ગીરે મૂકેલી વસ્તુ તેને જરૂર પાછી આપવી કે તે પોતાનું વસ્ત્ર પહેરીને સૂએ ને તને આશીર્વાદ આપે અને યહોવા તારા ઈશ્વરની દષ્ટિમાં તે તારા લાભમાં ન્યાયીપણારૂપ ગણાશે.
|
14. તારા ભાઈઓમાંના અથવા તારા દેશમાં તારી ભાગળોમાં રહેનાર પ્રવાસીઓમાંના કોઈ ગરીબ તથા દરિદ્રી મજૂર પર તું જુલમ ન કર.
|
15. તે જ દિવસે તું તેની મજૂરી તેને આપ, સૂર્ય તે પર આથમે નહિ, કેમ કે તે ગરીબ છે, ને તેનું મન તેમાં ચોટેલું છે. રખેને તે યહોવાની આગળ તારી વિરુદ્ધ પોકાર કરે, ને એમ તું દોષિત ઠરે.
|
16. છોકરાંને લીધે પિતા માર્યા ન જાય, ને પિતાને લીધે છોકરાં માર્યા ન જાય, દરેક માણસ પોતપોતાનાં પાપને લીધે માર્યો જાય.
|
18. પણ યાદ કર કે મિસરમાં તું પણ દાસ હતો, ને યહોવા તારા ઈશ્વરે તને ત્યાંથી છૂટો કર્યો. એ માટે હું તને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.
|
19. જ્યારે તું તારા ખેતરમાં તારો પાક કાપીને ખેતરમાં એક પૂળો ભૂલી ગયો હોય, ત્યારે તેને લાવવાને પાછો ન જા. તે પરદેશીને માટે તથા અનાથને માટે તથા વિધવાને માટે રહે. એ માટે કે યહોવા તારા ઈશ્વર તારા હાથનાં સર્વ કામમાં તને આશીર્વાદ આપે.
|
20. જ્યારે તું તારું જૈતવૃક્ષ ઝૂડી લે ત્યારે ફરીથી તેની ડાળીઓ પર ન ફર. રહી ગયેલું ફળ તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહેવા દે.
|
21. જ્યારે તું તારી દ્રાક્ષાવાડી ની દ્રાક્ષો વીણી લે ત્યારે ફરીથી તું તેને વીણવા ન જા. તે પરદેશીને માટે, અનાથને માટે, તથા વિધવાને માટે રહે.
|