4. કેમ કે તે ઘણી વાર બેડીઓએ તથા સાંકળોએ બંધાયો હતો, ને તે સાંકળો તોડી નાંખતો તથા બેડીઓ ભાંગી નાખતો! અને કોઈ તેને વશ કરી શકતો નહોતો.
|
7. અને મોટે અવાજે પોકારીને બોલ્યો, “ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને ઈશ્વરના સમ દઉં છું કે, તમે મને દુ:ખ ન દો.”
|
9. અને ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું?” અને તેણે તેમને ઉત્તર આપ્યો, “મારું નામ સેના છે; કેમ કે અમે ઘણા છીએ.”
|
13. અને તેમણે તેઓને રજા આપી. અને અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં પેઠા! અને તે ટોળામાં આશરે બે હજાર ભૂંડ હતાં. અને તેઓ કરાડા પરથી સમુદ્રમાં ધસી પડ્યાં, ને સમુદ્રમાં ગૂંગળાઈ મર્યાં.
|
14. અને તેઓના ચરાવનારાઓએ નાસી જઈને શહેરમાં તથા ગામડાંઓમાં તેની ખબર આપી; અને શું થયું હશે તે જોવાને લોકો નીકળ્યા.
|
15. અને ઈસુની પાસે તેઓ આવે છે, ને જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા, એટલે જેમાં સેના હતી, તેને તેઓએ બેઠેલા તથા વસ્ત્ર પહેરેલો તથા હોશમાં આવેલો જોયો, અને તેઓ બીધા.
|
16. અને દુષ્ટાત્મા વળગેલો કેવી રીતે સારો થયો હતો તે તથા ભૂંડો સંબંધીની વાત જેઓએ જોઈ હતી તે તેઓએ લોકોને કહી સંભળાવ્યું.
|
18. અને તે વહાણમાં ચઢતા હતા એટલામાં જેને દુષ્ટાત્મા વળગ્યા હતા તેણે તેમની સાથે રહેવા માટે વિનંતી કરી.
|
19. પણ ઈસુએ તેને આવવા ન દીધો, પણ તેને કહે છે, “તારે ઘેર તારાં સગાંઓની પાસે જા ને પ્રભુએ તારે માટે કેટલું બધું કર્યું છે, ને તારા પર દયા રાખી તેની ખબર તેઓને આપ.”
|
20. અને તે ગયો, ને ઈસુએ તેને માટે કેટલું બધું કર્યું હતું તે દશનગરમાં પ્રગટ કરવા લાગ્યો; અને બધા અચંબો પામ્યા.
|
21. અને જ્યારે ઈસુ ફરી હોડીમાં બેસીને પેલે પાર ગયા, ત્યારે અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા; અને ઈસુ સમુદ્રની પાસે હતા.
|
23. અને તેણે તેમને ઘણી વિનંતી કરીને કહ્યું, “મારી નાની દીકરી મરણતોલ માંદી છે; માટે આવીને તેને હાથ લગાડો; એ માટે કે તે સાજી થઈને જીવે.”
|
26. ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.
|
30. અને મારામાંથી પરાક્રમ નીકળ્યું છે એવું ઈસુને માલૂમ પડવાથી ઈસુએ તરત લોકની ભીડમાં પાછળ ફરીને કહ્યું, “મારા વસ્ત્રને કોણ અડક્યું?”
|
31. અને તેમના શિષ્યોએ તેમને કહ્યું, “તમે જુઓ છો કે ઘણા લોકો તમારા પર પડાપડી કરે છે, ને શું તમે એમ કહો છો કે ‘મને કોણ અડક્યું?’”
|
33. અને તેને જે થયું તે જાણીને તે સ્ત્રી બીહને તથા ધ્રૂજીને આવી, ને તેમની આગળ પડીને તેણે તેમને બધું સાચેસાચું કહી દીધું.
|
35. તે હજી બોલતા હતા એટલામાં સભાના અધિકારીને ત્યાંથી લોકોએ આવીને કહ્યું, “તમારી દીકરી તો મરી ગઈ છે; હવે તમે ઉપદેશકને તસ્દી શું કરવા આપો છો?”
|
39. અને તે અંદર આવીને તેઓને કહે છે, “તમે કેમ ગડબડ કરો છો ને રડો છો? છોકરી તો મરી નથી ગઈ, પણ ઊંઘે છે.”
|
40. અને તેઓએ તેમને હસી કાઢ્યા, પણ સહુને બહાર કાઢીને, છોકરીનાં માબાપને તથા જેઓ તેની સાથે હતા તેઓને લઈને, જ્યાં છોકરી હતી ત્યાં તે અંદર જાય છે.
|
41. અને છોકરીનો હાથ પકડીને તેને કહે છે: “તાલિથા કૂમી; “ જેનો અર્થ થાય છે, “છોકરી, હું તને કહું છું, ઊઠ.”
|