4. જેણે ઈશ્વરની પ્રાર્થના કરી, અને જેને ઈશ્ચરે ઉત્તર પણ આપ્યો, એવા માણસને તેના પડોશીઓ હાંસીપાત્ર ગણે તેવો હું છું; એટલે ન્યાયી, સંપૂર્ણ માણસ હાંસીપાત્ર છે.
|
5. જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે. જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે.
|
6. લૂંટારાઓનાં ઘર આબાદ થાય છે, અને ઈશ્વરને રોષ ચઢાવનારાઓ સહીસલામત હોય છે; અને તેઓનું બાહુબળ તે જ તેમનો ઈશ્વર છે.
|
14. તે જેને તોડી પાડે છે, તેને કોઈ ફરી ઊભું કરી શકતું નથી. તે માણસને કેદ કરે છે, ને કોઈ તેને છોડાવી શકતું નથી.
|
15. તે વરસાદને અટકાવી રાખે છે, એટલે જમીન સુકાઈ જાય છે; વળી તે તેને છોડી દે છે, ત્યારે તે ભૂમિને ઊથલપાથલ કરે છે.
|
23. તે પ્રજાઓની વૃદ્ધિ કરે છે, અને તેઓનો નાશ પણ કરે છે. તે પ્રજાઓને વિસ્તારે છે, અને તેઓને સંકોચે છે.
|