2. તે એક હાથ લાંબી ને એક હાથ પહોળી, એટલે તે ચોખંડી થાય; અને તે બે હાથ ઊંચી થાય. તેનાં શિંગ તેની સાથે સળંગ હોય.
|
3. અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ.
|
4. અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય.
|
8. અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.
|
9. તે વેદી પર તમે અન્ય ધૂપ કે દહનીયાર્પણ કે ખાદ્યાર્પણ ચઢાવશો નહિ; અને તે પર કંઈ પેયાર્પણ રેડશો નહિ.
|
10. અને વર્ષમાં એક વાર હારુન તેના શિંગ પર પ્રાયશ્ચિત કરે; તમારી પેઢી દરપેઢી વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના પાપાર્થાર્પણના રક્તથી તેને માટે તે પ્રાયશ્ચિત કરે; તે યહોવાને માટે પરમપવિત્ર છે.”
|
12. “ઇઝરાયલી લોકોની સંખ્યા કેટલી છે તે જોવા જ્યારે તું ગણતરી કરે ત્યારે તેમની ગણતરી થતી વખતે તેઓમાંનો દરેક પુરુષ પોતાના જીવના બદલામાં યહોવાને ખંડણી આપે; એ માટે કે જ્યારે તેમની ગણતરી થાય ત્યારે તેઓ મધ્યે કંઈ મરકી ન આવે.
|
13. તેઓ આ પ્રમાણે આપે “ગણમાં જેઓ દાખલ થાય તેઓમાંનો દરેક પુરુષ પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અડધો શેકેલ આપે (વીસ ગેરાહનો શેકેલ થાય છે), યહોવાને અર્પણ તરીકે તે અડધો શેકેલ આપે.
|
15. તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે.
|
16. અને ઇઝરાયલી લોકોની પાસેથી પ્રાયશ્ચિતના પૈસા લઈને તું તેને મુલાકાતમંડપની સેવાને અર્થે ઠરાવ. એ માટે કે તે તમારા જીવને માટે પ્રાયશ્ચિત કરવાને અર્થે ઇઝરાયલી લોકોને માટે યહોવાની આગળ યાદગીરીરૂપ થાય.”
|
18. “વળી હાથપગ ધોવાને માટે તું પિત્તળનો હોજ બનાવ, ને તેનું તળિયું પિત્તળનું થાય; અને તું તેને મુલાકાતમંડપ તથા વેદીની વચ્ચે મૂક, ને તેમાં પાણી રેડ.
|
20. તેઓ મુલાકાતમંડપમાં પેસે, અથવા સેવા કરવાને માટે, એટલે યહોવાને માટે હોમયજ્ઞ બાળવાને માટે, એટલે યહોવાને માટે, હોમયજ્ઞ બાળવાને માટે, વેદી પાસે આવે ત્યારે તેઓ માર્યા ન જાય માટે પાણીથી સ્નાન કરે.
|
21. એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.”
|
23. “તું તારી પાસે મુખ્ય સુગંધીઓ પણ લે, અડધો ભાગ એટલે અઢીસો શેકેલ સુગંધીદાર તજ, ને અઢીસો શેકેલ સુગંધીદાર બરુ,
|
24. ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે;
|
25. અને તું તેને પવિત્ર અભિષેકનું તેલ, સુગંધી બનાવનારના હુન્નર મુજબ મિશ્ર કરેલી સુગંધી બનાવ; તે અભિષેકનું પવિત્ર તેલ થાય.
|
32. તે માનવના દેહ પર ન રેડાય, ને તેના જેવી મેળવણીનું તમે કંઈ બનાવશો નહિ; તે પવિત્ર છે, ને તે તમારે માટે પવિત્ર ગણાશે.
|
33. જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”
|
34. અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.
|
35. અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.
|
36. અને તેમાંથી કેટલુંક ઝીણું ખાંડીને તું તેને મુલાકાતમંડપમાં, કરારકોશની આગળ, જ્યાં હું તને મળીશ, ત્યાં મૂક. તે તમારે માટે પરમપવિત્ર ગણાશે.
|
37. અને જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને માટે બનાવશો નહિ. તે તને યહોવાને માટે પવિત્ર હોય.
|