2. તેઓ તેમના પર એવું તહોમત મૂકવા લાગ્યા, “અમેન એવું માલૂમ પડયું છે કે આ માણસ અમારા લોકોને ભુલાવે છે, અને કાઈસારને ખંડણી આપવાની મના કરે છે, અને, ‘હું પોતે ખ્રિસ્ત રાજા છું’ એમ કહે છે.”
|
5. પણ તેઓએ વિશેષ આગ્રહથી કહ્યું, “ગાલીલથી માંડીને અહીં સુધી આખા યહૂદિયામાં તે બોધ કરીને લોકોને ઉશ્કેરે છે.”
|
7. તે હેરોદના તાબાનો છે એમ તેણે જાણ્યું, ત્યારે તેણે તેમને હેરોદની પાસે મોકલ્યો; હેરોદ પોતે પણ તે સમયે યરુશાલેમમાં હતો.
|
8. હવે હેરોદ ઈસુને જોઈને ઘણો હર્ષ પામ્યો. કેમ કે તેમના સંબંધી તેણે સાંભળ્યું હતું, તેને લીધે તે ઘણા દિવસથી તેમને જોવા ઇચ્છતો હતો. અને મારા દેખતાં તે કંઈ ચમત્કાર કરશે એવી આશા પણ તે રાખતો હતો.
|
11. હેરોદે પોતાના સિપાઈઓ સહિત તેમનો તુચ્છકાર કરીને તથા મશ્કરી કરીને તેમને ભપકાદાર વસ્ત્રો પહેરાવીને પિલાતની પાસે પાછા મોકલ્યા.
|
14. કહ્યું, “આ માણસ લોકોને ભુલાવે છે, એવું કહીને તમે તેને મારી પાસે લાવ્યા છો; પણ મેં તમારી આગળ તેની તપાસ કર્યા છતાં, જે વાતોનું તમે તેના પર તહોમત મૂકો છો તે સંબંધી કંઈ પણ અપરાધ આ માણસમાં મને જણાયો નથી.
|
15. તેમ જ હેરોદને પણ જણાયો નથી; કેમ કે તેમણે તેને અમારી પાસે પાછો મોકલ્યો; મરણદંડને યોગ્ય તેણે કંઈ કર્યું નથી.
|
22. તેણે ત્રીજી વાર તેઓને પૂછ્યું, “શા માટે? તેણે શું ભૂંડું કર્યું છે? તેનામાં મરણદંડ યોગ્ય મને કંઈ પણ જણાયું નથી; માટે હું તેને કંઈક શિક્ષા કરીને છોડી દઈશ.”
|
25. તોફાન અને ખૂન કર્યાને લીધે જે માણસને બંદીખાનામાં નાખવામાં આવ્યો હતો, અને જેની તેઓએ માગણી કરી હતી; તેને તેણે છોડી દીધો; પણ ઈસુને તેણે તેઓની ઇચ્છાને સ્વાધીન કર્યા.
|
26. તેઓ તેમને લઈ જતા હતા ત્યારે સિમોન કરીને કુરેનીનો એક માણસ સીમમાંથી આવતો હતો, તેને પકડીને તેઓએ તેની કાંધે વધસ્તંભ ચઢાવ્યો કે, તે તે ઊંચકીને ઈસુની પાછળ ચાલે.
|
28. પણ ઈસુએ તેઓની તરફ પાછા ફરીને કહ્યું, “યરુશાલેમની દીકરીઓ, મારે માટે રડો નહિ, પણ પોતાને માટે તથા પોતાનાં છોકરાંને માટે રડો.
|
29. કેમ કે એવા દિવસ આવે છે કે જેમાં તેઓ કહેશે કે, “જેઓ વાંઝણી છે તથા જેઓના પેટે કદી સંતાન થયું નથી, અને જેઓએ કદી ધવડાવ્યું નથી, તેઓને ધન્ય છે!”
|
33. ખોપરી નામની જગાએ તેઓ આવ્યા, ત્યારે તેઓએ ત્યાં તેમને તથા ગુનેગારોમાંના એકને જમણી તરફ અને બીજાને ડાબી તરફ, વધસ્તંભે જડ્યા.
|
34. ઈસુએ કહ્યું, “હે પિતા, તેઓને માફ કરો. કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી.” ચિઠ્ઠીઓ નાખીને તેઓએ તેમનાં વસ્ત્રો અંદરોઅંદર વહેંચી લીધાં.
|
35. લોકો જોતા ઊભા હતા. અધિકારીઓ પણ તેમનો તુચ્છકાર કરીને કહેતા હતા, “તેણે બીજાઓને બચાવ્યા; જો એ ઈશ્વરનો ખ્રિસ્ત, એટલે તેમનો પસંદ કરેલો હોય, તો તે પોતાને બચાવે.”
|
39. તેમની સાથે ટાંગેલા ગુનેગારોમાંના એકે તેમની નિંદા કરીને કહ્યું, “શું તું ખ્રિસ્ત નથી? તું પોતાને તથા અમને બચાવ.”
|
40. પરંતુ બીજાએ ઉત્તર આપતાં તેને ધમકાવીને કહ્યું, “તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું ઈશ્વરથી પણ બીતો નથી?
|
41. આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ; કેમ કે આપણે આપણાં કામનું યોગ્ય ફળ પામીએ છીએ. પણ એમણે કંઈ પણ ખોટું કર્યું નથી.”
|
44. હમણાં લગભગ બપોર થયા હતા, અને ત્યારથી ત્રીજા પહોર સુધી સૂર્ય નું તેજ ઘેરાઈ જવાથી આખા દેશમાં અંધકાર વ્યાપી રહ્યો.
|
46. ઈસુએ મોટી બૂમ પાડીને કહ્યું, “ઓ પિતા, હું મારો આત્મા તમારા હાથમાં સોંપું છું;” એમ કહીને તેમણે પ્રાણ છોડ્યો.
|
49. તેમના સર્વ ઓળખીતાઓ તથા જે સ્ત્રીઓ ગાલીલમાંથી તેમની પાછળ પાછળ આવી હતી, તેઓ દૂર ઊભાં રહીને આ જોતાં હતાં.
|
51. તે યહૂદીઓના એક શહેર અરીમથાઈનો હતો (તેણે તેઓના ઠરાવો તથા કામમાં પોતાની સંમતિ આપી નહોતી). તે પણ ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો.
|
53. તેણે તેને ઉતારીને શણના કાપડમાં વીંટાળ્યું, અને ખડકમાં ખોદેલી કબરમાં તેને મૂક્યું કે, જ્યાં કદી કોઈને અગાઉ મૂકવામાં આવ્યો નહોતો.
|
55. જે સ્ત્રીઓ તેમની સાથે ગાલીલમાંથી આવી હતી, તેઓએ પણ પાછળ પાછળ જઈને કબર જોઈ, અને તેમનું શબ શી રીતે મૂક્યું હતું તે પણ જોયું
|