10. યોહાનાનથી અઝાર્યા થયો (સુલેમાને યરુશાલેમમાં જે મંદિર બાંધ્યું, તેમાં જે યાજકપદ ભોગવતો હતો તે જ એ છે.)
|
15. જ્યારે યહોવાએ નબુખાદનેસ્સારની મારફતે યહૂદિયા તથા યરુશાલેમ ના લોક નું હરણ કરાવ્યું, ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો.
|
32. સુલેમાને યહોવાનું મંદિર યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ અનુક્રમે વારા પ્રમાણે પોતાના કામ પર હાજર રહેતા હતા.
|
33. જેઓ હાજર રહેતા તેઓ તથા તેઓના પુત્રો નીચે પ્રમાણે છે: કહાથીઓના પુત્રોમાંનો ગવૈયો હેમાન, એ યોએલનો પુત્ર, ને એ શમૂએલનો પુત્ર;
|
44. ડાબે હાથે તેઓના ભાઈઓ, એટલે મરારીના પુત્રો ઊભા રહેતા હતા; તેઓનો મુખ્ય એથાન કશીનો પુત્ર, ને એ આબ્દીનો પુત્ર, ને એ માલ્લૂખનો પુત્ર.
|
49. પણ હારુન તથા તેના પુત્રો દહનીયાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને માટે, તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે, અર્પણ ચઢાવતા હતા.
|
54. હવે તેઓને રહેવાને જે ચતુ:સીમાઓ ઠરાવી આપી હતી તે પ્રમાણે તેઓનાં રહેઠાણો આ હતાં:હારુનના પુત્રોનાં, એટલે કહાથીઓનાં કુટુંબોનાં રહેઠાણો, કેમ કે પહેલો હિસ્સો તેઓનો હતો.
|
57. હારુનના પુત્રોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેનાં પાદરો સહિત, યાત્તીર તથા એશ્તમોઆ તેમનાં પાદરો સહિત;
|
60. બિન્યામીનના કુળમાંથી ગેબા તેનાં પાદરો સહિત, આલ્લેમેથ તેનાં પાદરો સહિત, તથા અનાથોથ તેના પાદરો સહિત. તેઓના સર્વ કુટુંબોનાં બધા મળીને તેર નગરો હતા.
|
62. ગેર્શોમના પુત્રોને તેઓનાં કુટુંબો પ્રમાણે ઈસ્સાખારનાં કુળમાંથી, આશેરનાં કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો મળ્યાં.
|
63. મરારીના પુત્રોને, તેઓના કુટુંબો પ્રમાણે, રુબેનનાં કુળમાંથી તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખવાથી બાર નગરો મળ્યાં.
|
65. તેઓએ યહૂદાના પુત્રોના કુળમાંથી, શિમયોનના પુત્રોના કુળમાંથી તથા બિન્યામીનના પુત્રોના કુળમાંથી, આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
|
67. તેઓએ તેઓને આશ્રયનગર એટલે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ તેના પાદરો સહિત આપ્યું, વળી ગઝેર તેનાં પાદરો સહિત;
|
70. મન્નાશાના અર્ધકુળમાંથી આનેર તેનાં પાદરો સહિત તથા બિકહામ તેનાં પાદરો સહિત, કહાથના પુત્રોનાં કુટુંબના બાકી રહેલાઓને આપ્યાં.
|
71. જેર્શોમનાં પુત્રોને માનશ્શાના અર્ધકુળનાં કુટુંબમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં પાદરો સહિત, તથા આશ્તારોથ તેનાં પાદરો સહિત મળ્યાં
|
76. વળી નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું કેદેશ તેનાં પાદરો સહિત, હામ્મોન તેનાં પાદરો સહિત તથા કિર્યાથાઈમ તેનાં પાદરો સહિત.
|
77. બાકીના લેવીઓ ને એટલે મરારીના પુત્રોને ઝબુલોનના કુળમાંથી રિમ્મોન તેનાં પાદરો સહિત, તાબોર તેનાં પાદરો સહિત;
|
78. અને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે યર્દનની પૂર્વ તરફ, રુબેનના કુળમાંથી અરણ્યમાંનું બેસેર તેનાં પાદરો સહિત, યાહસા તેનાં પાદરો સહિત;
|