1. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,
|
2. અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, અને વૃથા વિશ્વાસ કર્યો નહિ હોય તો જે દ્વારા તમે તારણ પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
|
3. કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;
|
6. ત્યાર પછી એક જ સમયે પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત છે, પણ કેટલાક ઊંઘી ગયા છે;
|
9. કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી.
|
10. પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.
|
12. હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠયા છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી?
|
15. અને ઈશ્વર વિષે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી પૂરી કે તેમણે ખ્રિસ્તને ઉઠાડયા; પણ જો મૂએલાં ઊઠતાં નહિ હોય, તો તેમને તેમણે ઉઠાડયા નથી.
|
19. જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
|
23. પણ દરેકને પોતપોતાને અનુક્રમે:ખ્રિસ્ત પ્રથમફળ; ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે સજીવન કરવામાં આવશે.
|
24. પછી જ્યારે તે ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે.
|
27. કેમ કે ઈશ્વરે બધાંને તેમના પગ નીચે આઘીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે, બધાંને આઘીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાંને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે.
|
28. પણ જ્યારે સર્વને તેમને આઘીન કરવામાં આવશે, ત્યારે જેમણે સર્વને તેમને આઘીન કર્યા છે, એમને દીકરો પોતે પણ આઘીન થશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય.
|
29. જો એમ ન હોય તો જેઓ મૂએલાંને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાંનું પુનરુત્થાન થતું જ નથી, તો તેઓને માટે લોકો શા માટે બાપ્તિસ્મા પામે છે?
|
31. ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ ના ભય માં છું.
|
32. જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.
|
34. ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું.
|
37. અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના.
|
40. વળી સ્વર્ગીય શરીરો છે, તથા પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વર્ગીય શરીરો નું ગૌરવ જુંદું અને પૃથ્વી પરનાંનું જુંદું.
|
41. સૂર્યનું તેજ જુદું, અને ચંદ્રનું તેજ જુદું, અને તારાઓનું તેજ જુદું; કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે.
|
48. જેવો માટીનો માણસ છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
|
50. હવે, ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતાં નથી. તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી.
|
52. પણ છેલ્લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી થઈને ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.
|
54. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે.” એ લખેલી વાત પૂર્ણ થશે.
|
58. એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.
|