2. ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને તેઓને કહે કે, મારું અર્પણ, એટલે મારે માટે સુવાસિત હોમયજ્ઞ ને માટે મારું અન્ન તમે સંભાળીને તેમને યોગ્ય સમયે મને ચઢાવો.
|
3. અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે આ છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.
|
7. અને તેનું પેયાર્પણ એક હલવાનને માટે પા હિન દ્રાક્ષારસનું હોય. તું યહોવાને માટે પવિત્રસ્થાનમાં મદ્યનું પેયાર્પણ રેડાવ.
|
8. અને સાંજે તું બીજો હલવાન ચઢાવ. સવારના ખાદ્યાર્પણની જેમ તથા તેના પેયાર્પણની જેમ તું તે ચઢાવ, તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.
|
9. અને વિશ્રામવારે પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન, ને ખાદ્યર્પણને માટે તેલે મોહેલો બે દશાંશ એફાહ મેંદો તથા તેનું પેયાર્પણ.
|
11. અને તમારા માસોની શરૂઆતમાં તમે યહોવાને દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, તથા એક ઘેટો, પહેલા વર્ષના સાત ખોડખાંપણ વગરના નર હલવાન;
|
12. તથા દરેક વાછરડાની સાથે ખાદ્યર્પણને માટે ત્રણ દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. અને ખાદ્યર્પણને માટે એક ઘેટાની સાથે બે દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો.
|
13. અને ખાદ્યાર્પણને માટે, દરેક હલવાનની સાથે અકેક દશાંશ એફાહ મેંદો તેલથી મોહેલો. તે સુવાસિત દહનીયાર્પણ, એટલે યહોવાને માટે હોમયજ્ઞ માટે છે.
|
14. અને તેઓનાં પેયાર્પણ દરેક વાછરડાની સાથે અડધું હિન, ને ઘેટાની સાથે એક તૃતીયાંશ હિન, ને દરેક હલવાનની સાથે એક ચતુર્થાંશ હિન દ્રાક્ષારસ હોય; વર્ષના માસોમાંના દરેક માંસનું દહનીયાર્પણ એ છે.
|
15. અને તમારે પાપાર્થાર્પણને માટે એક બકરો, નિત્યના દહનીયાર્પણ ને તેના પેયાર્પણ ઉપરાંત, યહોવાને ચઢાવવો.
|
19. પણ તમારે યહોવાને દહનીયાર્પણ, એટલે હોમયજ્ઞ ચઢાવવું:એટલે બે વાછરડા તથા એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન. જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય.
|
24. એ રીતે સાત દિવસ સુધી દરરોજ યહોવાને સુવાસિત હોમયજ્ઞ નું અન્ન તમે ચઢાવો; નિત્યના દહનીયાર્પણ તથા તેના પેયાર્પણ ઉપરાંત તે ચઢાવવામાં આવે.
|
26. અને પ્રથમ ફળને દિવસે, એટલે જ્યારે તમારા સપ્તાહના પર્વમાં તમે યહોવાને નવું ખાદ્યાર્પણ ચઢાવો, ત્યારે તમે પવિત્ર મેળાવડો કરો. તમે કંઈ સંસારી કામ ન કરો.
|
27. પણ તમે યહોવાને સુવાસને માટે દહનીયાર્પણ ચઢાવો; એટલે બે વાછરડા, એક ઘેટો તથા પહેલા વર્ષના સાત નર હલવાન.
|
28. અને તેઓનું ખાદ્યાર્પણ, તેલથી મોહેલા મેંદાના ત્રણ દશાંશ એફાહ દરેક વાછરડાને માટે, બે દશાંશ એફાહ એક ઘેટાને માટે,
|
31. નિત્યના દહનીયાર્પણ તથા તેના ખાદ્યાર્પણ ઉપરાંત, તમારે તેઓ (જો જો કે તેઓ ખોડખાંપણ વગરના હોય) તથા તેઓનાં પેયાર્પણ ચઢાવવાં.
|