1. તેઓએ ઈશ્વરના કોશને અંદર બાંધેલા મંડપની વચ્ચે તેને મૂક્યો. તેઓએ ઈશ્વરની આગળ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવ્યાં.
|
2. જ્યારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો.
|
3. તેણે ઇઝઃરાયલના દરેક માણસને, પુરુષને તથા સ્ત્રીને, અકેક ભાખરો, માંસનો કટકો તથા સૂકી દ્રક્ષાનો અકેક ઝૂમખો વહેંચી આપ્યાં.
|
4. યહોવાના કોશની આગળ સેવા કરવા માટે તથા ઈઝરાયલના ઈશ્વર યહોવાના સંભારણાના ગીત ગાવા, તેમનો આભાર માનવા તથા તેમની સ્તુતી કરવા માટે કેટલાક લેવીઓને તેણે નીચે પ્રમાણે નીમ્યા.
|
5. એટલે મુખ્ય આસાફ તથા તેની ઊતરતે દરજ્જે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, યહીએલ, માતિથ્યા, એલિયાબ બનાયા, ઓબેદ-અદોમ તથા યેઈએલ હતા. તેઓ સિતાર તથા વીણા વગાડતા, આસાફ ઝાંઝ લઈને મોટેથી વગાડતો હતો.
|
29. યહોવાના નામને ઘટિત ગૌરવ આપો. અર્પણ લઈને તેમની હજૂરમાં આવો; પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો.
|
35. બોલો, “હે અમને તારણ આપનાર ઈશ્વર તમારો ઉદ્ધાર કરો, તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તથા તમારી સ્તુતિનો જયજયકાર કરવાને અમને એકત્ર કરો, ને વિદેશીઓના હાથમાંથી અમને છોડાવો.
|
36. ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી તે અનંતકાળ માટે સ્તુત્ય થાઓ.” સર્વ લોકે ‘આમેન’ કહીને યહોવાની સ્તુતિ કરી.
|
37. ત્યાર પછી દાઉદે ત્યાં યહોવાના કરારકોશની આગળ આસાફને તથા તેના ભાઈઓને, કોશની આગળ રોજના કામની જરૂરિયાત પ્રમાણે નિત્ય સેવા કરવા માટે રહેવા દીધા.
|
40. યહોવાએ ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાને દહનીયાર્પણો ચઢાવવા માટે નીમ્યા.
|
41. તેઓની સાથે તેણે હેમાન તથા યદૂથૂન તથા બાકીના પસંદ કરેલા કે, જેઓ નામવાર નોંધાયેલા હતા, તેઓને યહોવાએ જેમની કૃપા સર્વકાળ સુધી ટકે છે તેમની આભારસ્તુતિ કરવા માટે નીમ્યા;
|
42. તેઓને મોટેથી વગાડવા માટે રણશીંગડા, ઝાંઝ તથા ઈશ્વરનાં ગીતોને માટે વાજિંત્રો આપવામાં આવ્યાં; અને યદૂથૂનના પુત્રોને દ્વારપાળો નીમ્યા.
|
43. પછી સર્વ લોક વિદાય થઈને પોતપોતાને ઘેર ગયા, અને દાઉદ પોતાના કુટુંબના માણસોને આશીર્વાદ આપવા માટે પોતાના મહેલમાં પાછો ગયો.
|