1. અને યૂસફના દિકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી, મનાશ્શાના દિકરા માખીરના દિકરા ગિલ્યાદના દિકરા હેફેરના દિકરા સલોફહાદની દીકરીઓ મૂસાની પાસે આવી. અને તેની એ દીકરીઓનાં નામ આ હતાં:એટલે માહલા, નોઆ તથા હોગ્લા તથા મિલ્કા તથા તિર્સા.
|
2. અને મૂસાની રૂબરૂ તથા એલાઝાર યાજકની રૂબરૂ તથા અધિપતિઓ તથા સર્વ સભાની રૂબરૂ મુલાકાતમંડપના દ્વારની પાસે તેઓએ ઊભી રહીને કહ્યું,
|
3. “અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકત્ર થયા હતા તેઓની ટોળીમાંના તે ન હતા. પણ તે પોતાના પાપમાં મરી ગયા. અને તેમને દિકરા ન હતા.
|
4. તેમને દિકરો ન હતો માટે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી લોપ કેમ થાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપો.”
|
7. “સલોફહાદની દીકરીઓ વાજબી બોલે છે. તું નક્કી તેઓના પિતાના ભાઈઓ મધ્યે તેઓને વારસાનું વતન આપ; અને તેઓને તેઓના પિતાનો વારસો તું અપાવ.
|
8. અને ઇઝરાયલી લોકોને એમ કહે, જો કોઈ માણસ મરી જાય ને તેને દિકરો ન હોય, તો તમે તેની દીકરીને તેનો વારસો અપાવો.
|
11. અને જો તેના પિતાને ભાઈઓ ન હોય, તો તેના કુટુંબમાં જે તેનો નિકટનો સગો હોય તેને તેનો વારસો આપો, ને તે તેનો માલિક થાય.” અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાણે ઇઝરાયલી લોકોને માટે તે ન્યાયનો કાનૂન થાય.
|
14. કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.”
|
17. જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”
|
18. અને યહોવાએ મૂસાને કહ્યું, “નૂનનો દિકરો યહોશુઆ કે, જેનામાં મારો આત્મા છે, તેને તારી પાસે બોલાવીને તેના પર તારો હાથ મૂક.
|
21. અને એલાઝાર યાજકની પાસે તે ઊભો રહે; અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમક્ષ તેને માટે ખબર પૂછે. તેના કહેવાથી તેઓ, એટલે તે તથા તેની સાથે ઇઝરાયલની સર્વ પ્રજા, બહાર જાય, ને તેના કહેવાથી તેઓ અંદર આવે.”
|
22. અને યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. અને તેણે યહોશુઆને બોલાવીને એલાઝાર યાજકની આગળ તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર્યો.
|