ગીતશાસ્ત્ર 37 : 1 (IRVGU)
દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; [QBR] અન્યાય કરનારાઓની ઈર્ષા કરીશ નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 2 (IRVGU)
કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે [QBR] લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 3 (IRVGU)
યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; [QBR] દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 4 (IRVGU)
પછી તું યહોવાહમાં આનંદ કરીશ [QBR] અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 5 (IRVGU)
તારા માર્ગો યહોવાહને સોંપ; [QBR] તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 6 (IRVGU)
તે તારું ન્યાયીપણું અજવાળાની માફક [QBR] અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 7 (IRVGU)
યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. [QBR] જે પોતાના માર્ગે આબાદ થાય છે [QBR] અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 8 (IRVGU)
ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. [QBR] ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 9 (IRVGU)
દુષ્કર્મીઓનો વિનાશ થશે, [QBR] પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 10 (IRVGU)
થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; [QBR] તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 11 (IRVGU)
પણ નમ્ર લોકો દેશનું વતન પામશે [QBR] અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 12 (IRVGU)
દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે [QBR] અને તેની સામે પોતાના દાંત પીસે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 13 (IRVGU)
પ્રભુ તેની હાંસી કરશે, [QBR] કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 14 (IRVGU)
નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા [QBR] યથાર્થીને મારી નાખવાને માટે [QBR] દુષ્ટોએ તરવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 15 (IRVGU)
તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે [QBR] અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 16 (IRVGU)
નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, [QBR] તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 17 (IRVGU)
કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, [QBR] પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 18 (IRVGU)
યહોવાહ યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે [QBR] અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે [QBR]
ગીતશાસ્ત્ર 37 : 19 (IRVGU)
જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. [QBR] જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 20 (IRVGU)
પણ દુષ્ટો નાશ પામશે. [QBR] યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; [QBR] તેમ નાશ પામશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 21 (IRVGU)
દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, [QBR] પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 22 (IRVGU)
જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, [QBR] જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 23 (IRVGU)
માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે [QBR] અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 24 (IRVGU)
જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, [QBR] કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 25 (IRVGU)
હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; [QBR] પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 26 (IRVGU)
આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે [QBR] અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 27 (IRVGU)
બુરાઈથી દૂર થા અને ભલું કર; [QBR] અને સદાકાળ દેશમાં રહે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 28 (IRVGU)
કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે [QBR] અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. [QBR] તે સદા તેઓનું રક્ષણ કરે છે, [QBR] પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 29 (IRVGU)
ન્યાયીઓ વતનનો વારસો પામશે [QBR] અને તેમાં તેઓ સદાકાળ રહેશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 30 (IRVGU)
ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે [QBR] અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 31 (IRVGU)
તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; [QBR] તેના પગ લપસી જશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 32 (IRVGU)
દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે [QBR] અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 33 (IRVGU)
યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ [QBR] જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 34 (IRVGU)
યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો [QBR] અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. [QBR] જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 35 (IRVGU)
અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ [QBR] મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 36 (IRVGU)
પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. [QBR] મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 37 (IRVGU)
નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; [QBR] શાંતિપ્રિય માણસને બદલો મળશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 38 (IRVGU)
દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; [QBR] અંતે તેઓના વંશજોનો અંત આવશે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 39 (IRVGU)
યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; [QBR] સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 37 : 40 (IRVGU)
યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. [QBR] તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે [QBR] કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

BG:

Opacity:

Color:


Size:


Font: