ગીતશાસ્ત્ર 107 : 1 (IRVGU)
યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે [QBR] અને તેમની કૃપા સર્વકાળ ટકે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 2 (IRVGU)
જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું, [QBR] એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 3 (IRVGU)
તેમણે તેઓને દેશવિદેશથી [QBR] એટલે પૂર્વથી તથા પશ્ચિમથી, [QBR] ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.   [QBR]
ગીતશાસ્ત્ર 107 : 4 (IRVGU)
અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા [QBR] અને તેઓને રહેવાનું કોઈ સ્થળ મળ્યું નહિ. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 5 (IRVGU)
તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા; [QBR] તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 6 (IRVGU)
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં [QBR] અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 7 (IRVGU)
તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા [QBR] કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 8 (IRVGU)
તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો [QBR] ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું! [QBR]
ગીતશાસ્ત્ર 107 : 9 (IRVGU)
કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે [QBR] અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.   [QBR]
ગીતશાસ્ત્ર 107 : 10 (IRVGU)
કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા, [QBR] આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 11 (IRVGU)
કેમ કે તેઓએ ઈશ્વરની સામા થઈને [QBR] પરાત્પરની સૂચનાઓનો ઇનકાર કર્યો. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 12 (IRVGU)
તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં; [QBR] તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 13 (IRVGU)
પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા [QBR] અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 14 (IRVGU)
તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા [QBR] અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 15 (IRVGU)
તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો [QBR] ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! [QBR]
ગીતશાસ્ત્ર 107 : 16 (IRVGU)
કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા [QBR] અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.   [QBR]
ગીતશાસ્ત્ર 107 : 17 (IRVGU)
તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા [QBR] તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 18 (IRVGU)
તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે [QBR] અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 19 (IRVGU)
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે [QBR] અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 20 (IRVGU)
તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે [QBR] અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 21 (IRVGU)
આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો [QBR] ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! [QBR]
ગીતશાસ્ત્ર 107 : 22 (IRVGU)
તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો [QBR] અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.   [QBR]
ગીતશાસ્ત્ર 107 : 23 (IRVGU)
જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે [QBR] અને સમુદ્રપાર વ્યાપાર કરે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 24 (IRVGU)
તેઓ યહોવાહનાં કાર્યો [QBR] તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 25 (IRVGU)
કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે; [QBR] તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 26 (IRVGU)
મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે. [QBR] તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 27 (IRVGU)
તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે [QBR] અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 28 (IRVGU)
પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે [QBR] અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 29 (IRVGU)
તેમણે તોફાનને શાંત કર્યાં [QBR] અને મોજાં શાંત થયાં. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 30 (IRVGU)
પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે [QBR] અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 31 (IRVGU)
આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો [QBR] ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું! [QBR]
ગીતશાસ્ત્ર 107 : 32 (IRVGU)
લોકોની સભામાં તેમને મોટા મનાવો [QBR] અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.   [QBR]
ગીતશાસ્ત્ર 107 : 33 (IRVGU)
તે નદીઓને સ્થાને અરણ્ય, [QBR] પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ, [QBR]
ગીતશાસ્ત્ર 107 : 34 (IRVGU)
અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે [QBR] ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 35 (IRVGU)
તે અરણ્યને સ્થાને સરોવર [QBR] અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 36 (IRVGU)
તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે [QBR] અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 37 (IRVGU)
તેઓ ખેતરમાં વાવેતર કરે છે; [QBR] અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 38 (IRVGU)
તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. [QBR] તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 39 (IRVGU)
તેઓના જુલમ, વિપત્તિ તથા શોક [QBR] પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 40 (IRVGU)
તે અમીર ઉમરાવો પર અપમાન લાવે છે [QBR] અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 41 (IRVGU)
પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે [QBR] અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 42 (IRVGU)
તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે [QBR] અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે. [QBR]
ગીતશાસ્ત્ર 107 : 43 (IRVGU)
જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે [QBR] અને યહોવાહની કૃપા વિષે મનન કરશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: