નીતિવચનો 16 : 1 (IRVGU)
માણસો મનમાં સંકલ્પ કરે છે, [QBR] પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે. [QBR]
નીતિવચનો 16 : 2 (IRVGU)
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, [QBR] પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે. [QBR]
નીતિવચનો 16 : 3 (IRVGU)
તારાં કામો યહોવાહને સોંપી દે [QBR] એટલે તારી યોજનાઓ સફળ થશે. [QBR]
નીતિવચનો 16 : 4 (IRVGU)
યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, [QBR] હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે. [QBR]
નીતિવચનો 16 : 5 (IRVGU)
દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, [QBR] ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. [QBR]
નીતિવચનો 16 : 6 (IRVGU)
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે [QBR] અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે. [QBR]
નીતિવચનો 16 : 7 (IRVGU)
જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવાહ ખુશ થાય છે, [QBR] ત્યારે તે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે. [QBR]
નીતિવચનો 16 : 8 (IRVGU)
અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, [QBR] ન્યાયથી મળેલી થોડી આવક સારી છે. [QBR]
નીતિવચનો 16 : 9 (IRVGU)
માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, [QBR] પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે. [QBR]
નીતિવચનો 16 : 10 (IRVGU)
રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે, [QBR] તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ. [QBR]
નીતિવચનો 16 : 11 (IRVGU)
પ્રામાણિક ત્રાજવાં યહોવાહનાં છે; [QBR] કોથળીની અંદરના સર્વ વજનિયાં તેમનું કામ છે. [QBR]
નીતિવચનો 16 : 12 (IRVGU)
જ્યારે દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે, [QBR] ત્યારે સારાં કામોથી રાજ્યાસન સ્થિર થાય છે. [QBR]
નીતિવચનો 16 : 13 (IRVGU)
નેક હોઠો રાજાને આનંદદાયક છે [QBR] અને તેઓ યથાર્થ બોલનાર ઉપર પ્રેમ રાખે છે. [QBR]
નીતિવચનો 16 : 14 (IRVGU)
રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે, [QBR] પણ શાણી વ્યક્તિ પોતાના ગુસ્સાને શાંત પાડશે. [QBR]
નીતિવચનો 16 : 15 (IRVGU)
રાજાના મુખના પ્રકાશમાં જીવન છે [QBR] અને તેની કૃપા પાછલા વરસાદના વાદળાં જેવી છે. [QBR]
નીતિવચનો 16 : 16 (IRVGU)
સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. [QBR] ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે. [QBR]
નીતિવચનો 16 : 17 (IRVGU)
દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; [QBR] જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. [QBR]
નીતિવચનો 16 : 18 (IRVGU)
અભિમાનનું પરિણામ નાશ છે [QBR] અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે. [QBR]
નીતિવચનો 16 : 19 (IRVGU)
ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે [QBR] તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે. [QBR]
નીતિવચનો 16 : 20 (IRVGU)
જે પ્રભુના વચનોનું ચિંતન કરે છે તેનું હિત થશે; [QBR] અને જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે આનંદિત છે. [QBR]
નીતિવચનો 16 : 21 (IRVGU)
જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; [QBR] અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે. [QBR]
નીતિવચનો 16 : 22 (IRVGU)
જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, [QBR] પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે. [QBR]
નીતિવચનો 16 : 23 (IRVGU)
જ્ઞાનીનું હૃદય તેના મુખને શીખવે છે [QBR] અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે. [QBR]
નીતિવચનો 16 : 24 (IRVGU)
માયાળુ શબ્દો મધ જેવા છે, [QBR] તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે. [QBR]
નીતિવચનો 16 : 25 (IRVGU)
એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, [QBR] પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે. [QBR]
નીતિવચનો 16 : 26 (IRVGU)
મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; [QBR] તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે. [QBR]
નીતિવચનો 16 : 27 (IRVGU)
અધમ માણસ અપરાધ કરે છે [QBR] અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે. [QBR]
નીતિવચનો 16 : 28 (IRVGU)
દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, [QBR] અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે. [QBR]
નીતિવચનો 16 : 29 (IRVGU)
હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે [QBR] અને ખરાબ માર્ગમાં દોરી જાય છે. [QBR]
નીતિવચનો 16 : 30 (IRVGU)
આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; [QBR] હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે. [QBR]
નીતિવચનો 16 : 31 (IRVGU)
સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; [QBR] સત્યને માર્ગે ચાલનારને એ મળે છે. [QBR]
નીતિવચનો 16 : 32 (IRVGU)
જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, [QBR] અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે. [QBR]
નીતિવચનો 16 : 33 (IRVGU)
ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, [QBR] પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: