ચર્મિયા 47 : 1 (IRVGU)
ફારુને ગાઝાને માર્યા પહેલા પલિસ્તીઓ વિષે, યહોવાહનું જે વચન યર્મિયા પ્રબોધક પાસે આવ્યું તે આ છે. [QBR]
ચર્મિયા 47 : 2 (IRVGU)
યહોવાહ કહે છે કે; જુઓ, ઉત્તરમાંથી પૂર આવી રહ્યું છે; અને પલિસ્તીઓના સમગ્ર દેશ પર તે ફરી વળશે; [QBR] તે તેઓનાં નગરો તથા તેમાંના સર્વસ્વનો નાશ કરશે. શૂરવીર પુરુષો ભયથી બૂમો પાડશે [QBR] અને સર્વ પ્રજાજનો પોક મૂકીને રડશે. [QBR]
ચર્મિયા 47 : 3 (IRVGU)
બળવાન ઘોડાઓનાં દાબડાનો અવાજ, [QBR] રથોનો ધસારો અને તેના પૈડાઓનો ગડગડાટ સાંભળી, [QBR] પિતાઓ એટલા નિ:સહાય થશે કે તેઓ પોતાના સંતાનો તરફ પાછા ફરીને જોયા વગર નાસી જશે. [QBR]
ચર્મિયા 47 : 4 (IRVGU)
કેમ કે, એવો દિવસ આવશે કે જ્યારે બધા જ પલિસ્તીઓનો સંહાર થશે. તૂર અને સિદોનની સાથે બચી ગયેલા દરેક મદદગારને કાપી નાખવામાં આવશે. કેમ કે યહોવાહ પલિસ્તીઓનો એટલે સમુદ્રકાઠે આવેલા કાફતોરના બચી ગયેલાઓનો સંહાર કરશે. [QBR]
ચર્મિયા 47 : 5 (IRVGU)
ગાઝાનું માથું મૂંડેલુ છે. આશ્કલોન એટલે તેઓની ખીણમાનું જે બચી ગયેલું તે નષ્ટ થયું છે. તું ક્યાં સુધી પોતાને કાપીને ઘાયલ કરશે?
ચર્મિયા 47 : 6 (IRVGU)
હે યહોવાહની તરવાર, તું ક્યારે શાંત થઈશ? [QBR] ફરી તું મ્યાનમાં પાછી જા અને આરામ કર અને શાંત રહે. [QBR]
ચર્મિયા 47 : 7 (IRVGU)
પણ યહોવાહે તને આજ્ઞા આપી છે તો તું શી રીતે શાંત રહી શકે? [QBR] આશ્કલોન તથા સમુદ્ર કાંઠાની વિરુદ્ધ તેણે તરવાર નિર્માણ કરી છે.'' [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: