યશાયા 49 : 1 (IRVGU)
હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. [QBR] યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે. [QBR]
યશાયા 49 : 2 (IRVGU)
તેમણે મારું મુખ તીક્ષ્ણ તરવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; [QBR] તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે. [QBR]
યશાયા 49 : 3 (IRVGU)
તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ.” [QBR]
યશાયા 49 : 4 (IRVGU)
મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, [QBR] તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે. [QBR]
યશાયા 49 : 5 (IRVGU)
હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, [QBR] યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. [QBR] યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે. [QBR]
યશાયા 49 : 6 (IRVGU)
તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા [QBR] તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. [QBR] હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉધ્ધાર પહોંચાડનાર થશે.” [QBR]
યશાયા 49 : 7 (IRVGU)
ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, [QBR] જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: [QBR] “રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, [QBR] કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે. [QBR]
યશાયા 49 : 8 (IRVGU)
યહોવાહ એવું કહે છે: [QBR] એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉધ્ધારને દિવસે હું તને સહાય કરીશ; [QBR] હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, [QBR] જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે. [QBR]
યશાયા 49 : 9 (IRVGU)
તું બંદીવાનોને કહેશે, 'બહાર આવો;' જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, 'પ્રકાશમાં આવો.' [QBR] તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે. [QBR]
યશાયા 49 : 10 (IRVGU)
તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, [QBR] કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે. [QBR]
યશાયા 49 : 11 (IRVGU)
મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.” [QBR]
યશાયા 49 : 12 (IRVGU)
જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે. [QBR]
યશાયા 49 : 13 (IRVGU)
હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! [QBR] કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ:ખી લોકો પર દયા કરશે. [QBR]
યશાયા 49 : 14 (IRVGU)
પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.” [QBR]
યશાયા 49 : 15 (IRVGU)
શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? [QBR] હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ. [QBR]
યશાયા 49 : 16 (IRVGU)
જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે. [QBR]
યશાયા 49 : 17 (IRVGU)
જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે. [QBR]
યશાયા 49 : 18 (IRVGU)
તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. [QBR] યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે. [QBR]
યશાયા 49 : 19 (IRVGU)
જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ, [QBR] હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે. [QBR]
યશાયા 49 : 20 (IRVGU)
તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, [QBR] 'આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.' [QBR]
યશાયા 49 : 21 (IRVGU)
પછી તું તારા મનમાં કહેશે, 'મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? [QBR] હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? [QBR] જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?'” [QBR]
યશાયા 49 : 22 (IRVGU)
પ્રભુ યહોવાહ એવું કહે છે: [QBR] “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. [QBR] તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે. [QBR]
યશાયા 49 : 23 (IRVGU)
રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; [QBR] તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; [QBR] અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.” [QBR]
યશાયા 49 : 24 (IRVGU)
શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય? [QBR]
યશાયા 49 : 25 (IRVGU)
પણ યહોવાહ એવું કહે છે કે: [QBR] “હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; [QBR] કેમ કે હું તારા વિરોધીઓનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ. [QBR]
યશાયા 49 : 26 (IRVGU)
અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; [QBR] અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉધ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: